સૈફરીનાના લગ્ન અયોગ્ય અને ઇસ્લામ વિરુદ્ધ : દારૂલ
મુંબઈ, 18 ઑક્ટોબર : બૉલીવુડથી લઈને શેરીઓ સુધી લોકો સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નને લઈને બહુ ખુશ છે, નાચે-ઝૂમે છે, તો બીજી બાજુ દારૂલ ઉલુમે સૈફ-કરીનાના લગ્નને અયોગ્ય તેમજ ઇસ્લામ વિરોધી ગણાવ્યાં છે.
ઉલુમના જણાવ્યા મુજબ સૈફરીનાના લગ્નને ઇસ્લામિક માન્યતા નહિં મળી શકે, કારણ કે કરીનાએ ઇસ્લામ ધારણ કર્યા વગર સૈફ સાથે લગ્ન કર્યાં છે. તેથી તેઓ સફના બેગમ ન ગણાય અને આ પ્રકારનો સંબંધ ના તો ઇજ્જતને લાયક છે કે ના મંજૂરીને લાયક. એટલું જ નહિં ઉલુમે તો કરીના માટે એમ પણ કહી નાંખ્યું કે તેમણે ખાસ કારણસર સૈફ સાથે લગ્ન કર્યાં છે. તેઓ સૈફને પ્રેમ નથી કરતાં.
દરમિયાન ઉલુમના રોષથી અજાણ બંને સિતારાઓ પોતના આવનાર ભાવી અંગે વિચારી રહ્યાં છે. આજે તેઓ દાવત-એ-વલીમા યોજી રહ્યાં છે. તેને માટે તેમણે ખાસ લોકોને આમંત્ર્યાં છે. બંનેના કુટુમ્બે જશ્નની તૈયારી કરી છે. બૉલીવુડની હસ્તીઓ સૈફ-કરીનાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે નિયમ એવો હતો કે જો કોઈ પટૌડી ખાનદાનની વહુ બને, તો તે મુસ્લિમ હોવું જોઇએ. તેથી સૈફના માતા શર્મિલા ટાગોરે પણ ઇસ્લામ અપનાવ્યુ હતું, પરંતુ કરીનાએ ઇસ્લામ નથી અપનાવ્યું. તેમણે સૈફ સાથે કોર્ટ મૅરેજ કર્યાં છે.