સિંગલ એન્ડ સેફ રહેવા માંગે છે સલમાન ખાન
મુંબઈ, 7 જાન્યુઆરી : સલમાન ખાનના લગ્ન અંગે માત્ર તેમના પરિવારજનો જ નહીં, પણ સલમાનના ફૅન્સ પણ બહુ ઉત્સુક છે. જોકે સલમાન ખાન પોતાના લગ્ન અંગે કદાચ બહુ જ ગભરાયેલા છે. એટલે જ તો જ્યારે પણ લગ્નની વાત આવે કે તેઓ કહે છે કે તોઅ હજી સિંગલ જ રહેવા માંગે છે. તેમને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, પણ છતા તેઓ સિંગલ સ્ટેટસને ખૂબ એન્જૉય કરી રહ્યાં છે. સલમાને તાજેતરમાં જ કૉફી વિથ કરણ શો દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ વર્જિન છે અને પોતાની તમામ ગર્લફ્રેન્ડ્સ સાથે તેમણે માત્ર સ્વસ્તથ મૈત્રીના જ સંબંધો બનાવ્યા હતાં. લગ્ન બાદ તેઓ પોતાની પત્ની સાથે જ સુહાગરાત મનાવશે. સુહાગરાત માટે તેમણે પોતાને સલામત રાખ્યાં છે.

ઉપરાંત સલમાન ખાન સામે ચાલતા બે કેસ હિટ એન્ડ રન તથા કાળિયાર શિકાર કેસના પગલે પણ સલમાન ખાન લગ્ન કરવા નથી માંગતાં. તેઓ નથી ઇચ્છતાં કે લગ્ન બાદ તેમના પત્ની પણ આ બધી બબાલોના કારણે હેરાન થાય. સલમાનના નજીકના મિત્ર સંજય દત્ત જેલ ગયા બાદ તેમનો પરિવાર કેટલો હેરાન છે. સરવાળે સલમાનને લાગે છે કે કદાચ સિંગલ જ રહેવું બેટર છે.












Click it and Unblock the Notifications
