ભારતથી ડર્યું પાકિસ્તાન, ઈદ પર રિલીઝ નહિ થાય સલમાનની ફિલ્મ
ભારતથી ડર્યું પાકિસ્તાન, ઈદ પર રિલીઝ નહિ થાય સલમાનની ફિલ્મ
બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન હાલના દિવસોમાં ફિલ્મ ભારતને લઈ બહુ વ્યસ્ત છે કેમ કે ફિલ્મ ઈદ પર ધમાકો કરવા આવી રહી છે. પરંતુ ફિલ્મને લઈ પાકિસ્તાને એક એવો નિર્ણયલ લીધો જેનાથી સલમાન ખાનના ફેન્સ નારાજ થઈ જશે. જણાવી દઈએ કે ફિલ્મ ભારતને પાકિસ્તાને રિલીઝ કરવાની ના પાડી દીધી. હવે અચાનક સલમાન ખાનની આ ફિલ્મ પર પ્રતિબંધ કેમ લગાવી દીધો તે પણ સમજમાં આવી જ રહ્યું છે.
અહેવાલો મુજબ ઈદ પર ફવાદ ખાનની ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થવાની હતી અને બંને ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની હોય પાકિસ્તાની ડિસ્ટ્રીબ્યૂટર્સ પણ ખુશ હતા કે સિનેમાઘરોમાં આ દિવસોમાં ભારે ભીડ ઉમટી પડશે પરંતુ હવે આવું નહિ થાય.
ભારતથી ડર્યું પાકિસ્તાન
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન મંત્રાલયે એક સર્ક્યૂલર જાહેર કર્યું છે જે બાદ માનવામાં આવી રહ્યું છે કે સલમાનની ફિલ્મ પાકિસ્તાનમાં ઈદના અવસર પર રિલીઝ નહિ ઈ શકે. પરંતુ લોકોનું માનીએ તો આ ફેસલાનું કારણ 14 ફેબ્રુઆરીએ થયેલ પુલવામા હુમલો માનવામાં આવી રહ્યો છે. એવામાં જો કહીએ કે ભારતથી પાકિસ્તાન ડરી ગયું છે તો ખોટું નહિ હોય. તાજેતરમાં જ સલમાન ખાને પુલવામા હુમલાની નિંદા કરતા શહીદ જવાનોના પરિવા માટે ડોનેશન પણ આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ તેમનો ધન્યવાદ પણ વ્યક્ત કર્યો. આ ફિલ્મો પાકિસ્તાનમાં રિલીઝ નહોતી થઈ શકી..
પેડમેન
અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને પાકિસ્તાનમાં રિલીઝ નહોતી થવા દેવાઈ. ફિલ્મમાં સેનેટરી પેડ વિશે દેખાડવામાં આવ્યું હતું.
રાજી
રાજીને પાકિસ્તાનમાં બેન કરી દેવામાં આવી હતી. આ ફિલ્મમાં ભારતની એક છોકરી પાકિસ્તાનમાં જઈ તેમને માત આપે છે.
મુલ્ક
આતંકવાદ પર બની આ ફિલ્મને પાકિસ્તાને પ્રતિબંધિત કરી દીધી હતી. ફિલ્મમાં ઋષિ કપૂર જોવા મળ્યા હતા.
અય્યારી
અય્યારી ફિલ્મ ભારતીય ફોજના બે જવાનો પર આધારિત હતી માટે તેને પ્રતિબંધિત કરી દેવામાં આવી.
પરમાણુ
ફિલ્મ પરમાણુમાં જૉન અબ્રાહમની સાથે ડાયના પેંટી પણ જોવા મળી હતી. આ ફિલ્મને પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.
ટાઇગર જિંદા હૈ
સલમાન ખાન અને કેટરીના કૈફની આ ફિલ્મ પાકિસ્તાને કેમ બેન કરી દીધી તે કોઈને સમજમાં ન આવ્યું.
કરિશ્મા શર્માની કાતિલ અદાઓ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે