For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

14 દિવસના પેરોલ પર છૂટ્યો સંજય દત્ત

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 ઓક્ટોબરઃ 1993ના મુંબઇ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં 42 મહિનાની સજા કાપી રહેલા બૉલીવુડ અભિનેતા સંજય દત્તને 14 દિવસના પેરોલ મળી ગયા છે. સંજય દત્ત મંગળવારે સવારે અંદાજે 11.30 વાગ્યે યરવડા જેલથી ઘરે જવા રવાના થયો છે.

સંજય દત્તે અજ્ઞાત બીમારીની સારવાર અર્થે થોડા દિવસ પહેલા પરોલ પર છૂટવાની અરજી કરી હતી. યરવાડા જેલના સુપરિટેંડેન્ટ યોગેશ દેસાઇએ ડિવિઝનલ કમિશનર સમક્ષ સંજય દત્તની અરજી મોકલાવી હતી, જેને મંજૂર કરી લેવામાં આવી હતી.

sanjay-dutt-jail-bollywood
નોંધનીય છે કે, ટાડા અદાલતે સંજય દત્તને 9 એમએમની પિસ્તોલ અને એક એકે 56 રાઇફલ રાખવા બદલ સજા સંભળાવી હતી. આ હથિયારો માર્ચ 1993માં મુંબઇમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાના હેતુસર લાવવામાં આવેલા હથિયારોની યાદીમાં સામેલ હતા. વિસ્ફોટમાં 257 લોકોના મોત નીપજ્યાં હતા અને 700થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.
English summary
Actor Sanjay Dutt was granted a two week parole by Yerawada Jail authorities on account of medical reasons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X