સંજય દત્ત અંગે ચર્ચા ન કરવાની વિનંતી કરતાં અમિતાભ
મુંબઈ, 2 એપ્રિલ : સંજય દત્તની હાલત અંગે બિગ બી અમિતાભ બચ્ચન પણ દુઃખી દુઃખી થઈ ગયાં છે. અમિતાભ બચ્ચને જ્યારે જાણ્યું કે સંજય દત્ત પોતાની પાસે સમય ન હોવાથી ફિલ્મ ઘચનક્કરમાં ગેસ્ટ ઍપીરિયંસનો રોલ નહીં કરી શકે, ત્યારે અમિતાભ ઘણાં દુઃખી થઈ ગયાં.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે સંજય દતને 5 વર્ષની સજા ફટકારી છે. જોકે તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે. ચાર અઠવાડિયામાં સરેન્ડર કરવાની તેમની મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થશે.
સંજય દત્તના દુઃખમાં દુઃખી અમિતાભ બચ્ચને મીડિયાને વિનંતી કરી છે કે તે હાલ સંજય દત્તને પૂર્ણત્વે એકલાં છોડી દે. બિગ બીએ જણાવ્યું કે સંકટના આ સમયે સંજય દત્ત અંગે વધુ ચર્ચા ન કરવામાં આવે. એવું પોતે સંજય દત્ત પણ ઇચ્છે છે. શક્ય છે કે સંજય દત્ત પોતાનો સમય એકલામાં અને પોતાના પરિવાર સાથે પસાર કરવા માંગે છે. સંજય દત્તની ઇચ્છા અને કોર્ટના ચુકાદાનું દરેકે સન્માન કરવું જોઇએ.












Click it and Unblock the Notifications
