શ્વાસ લેવામાં તકલીફ બાદ કોરિયોગ્રાફર સરોજ ખાન હોસ્પિટલમાં ભરતી, કોવિડ-19નુ જોખમ નથી
બૉલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઈની બાંદ્રા સ્થિત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
બૉલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઈની બાંદ્રા સ્થિત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને મંગળવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આ સમાચાર એવા સમયમાં આવ્યા જ્યારે દુનિયાભરમાં કોરોના સંક્રમણ ચરમ પર છે પરંતુ સરોજ ખાનના ફેન્સ માટે રાહતભર્યા સમાચાર છે. ડૉક્ટરોએ હોસ્પિટલમાં ભરતી કરવા સાથે જ તેમનો કોવિડ-19 ટેસ્ટ કર્યો જે નેગેટીવ આવ્યો છે.

વળી, ડૉક્ટરોએ કહ્યુ છે કે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. સરોજ ખાન પહેલેથી ઘણુ સારુ અનુભવી રહ્યા છે. હોસ્પિટલનુ કહેવુ છે કે જો બધુ ઠીક રહ્યુ તો તેમને જલ્દી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આ પહેલા પણ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. એ વખતે પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે 71 વર્ષના સરોજ ખાન છેલ્લા ઘણા વર્ષોથી બૉલિવુડથી દૂર છે. તેમણે લાંબા સમય સુધી બૉલિવુડથી બ્રેક લીધા બાદ વર્ષ 2019માં કંગના રનોતની ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસીના એક ગીતમાં કોરિયાગ્રાફી કરી રહતી. આ પહેલા તેમણે માધુરી દીક્ષિતની ફિલ્મ કલંકમાં પણ એક ગીતની કોરિયોગ્રાફી કરી હતી. સરોજ ખાનને ત્રણ વાર બેસ્ટ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
