સૈફ-કરીનાના લગ્ન પર શાહિદ-અમૃતા ચૂપ
આજે સૈફની ધડકન બની ગયેલી કરીનાનું દિલ એકસમયે શાહિદ કપૂર માટે ધડકતું હતું. વાત 2004 ની છે કે પોતનાથી પાંચ વર્ષ મોટી કરીના કપૂરના પ્રેમમાં શાહીદ કપૂર ફસાયેલા હતા. તો બીજી તરફ કરીના કપૂર પણ જીવ આપવા માટે તૈયાર હતી. દરેકને આશા હતી કે આ સંબંધ એક દિવસ જરૂર લગ્ન સુધી પહોંચશે પરંતુ આવું થયું નહી અને વર્ષ 2007 સુધી માસૂમ પ્રેમે દમ તોડી દિધો અને શાહીદ-કરીનાની લાઇફમાંથી આઉટ થઇ ગયો અને સૈફ ઇન થઇ ગયો.
તો બીજી તરફ સૈફ મિયાંની જીંદગીમાં 13 વર્ષ રાજ કરનારી અને તેના બે બાળકોની માતા અમૃતા સિંહ પણ આજે સૈફ માટે ભૂતકાળ બની ગઇ છે. તે પણ આજે પોતાના પતિના લગ્ન પર મૌન ધારણ કરી લીધું છે. સૈફના લગ્નમાં તેના બે બાળકો આવશે પણ અમૃતા સિંહ આવશે કે નહી તે અંગે કોઇને ખબર નથી.
શાહિદ અને અમૃતા સિંહે ક્યારેય પણ મીડિયાને જણાવ્યું નથી કે બંને પોતાના પ્રેમથી કેમ છૂટ્યા પડ્યા પણ ફિલ્મી પંડિતોનું કહેવું છે કે બંને લગ્નને લઇને ખુશ નથી ત્યારે તો ચૂપ છે તેમની ચૂપ્પી કંઇક કહી રહી છે. તેઓ કેમેરાથી દૂર ભાગી રહ્યાં છે ફક્ત એટલા માટે કે તેમનો ગમ છલકાઇ ના જાય અને લોકો સચ્ચાઇની જાણ ન થઇ જાય જે વર્ષોથી દિલમાં દફન છે. ઉલ્લેખનીય છે કે કરીના-સૈફ આવતીકાલે કોર્ટ મેરેજ કરશે. અને 18 ઑક્ટોબરે બંનેના લગ્નની પાર્ટી પટોડી પેલેસમાં આપશે જેમાં કેટલીક નામચીન હસ્તીઓ હાજરી આપે તેવી આશા છે.