શોકગ્રસ્ત શાહરુખે સલમાન સાથે સંઘર્ષ ટાળ્યો
મુંબઈ, 25 ઑક્ટોબર : બૉલીવુડના કિંગ ખાન આજકાલ બહુ જ દુઃખી અને શોકગ્રસ્ત છે. તેથી જ કદાચ તેઓ હાલ કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવા નથી માંગતા. ખાસ તો સલમાન ખાન સાથે બિલ્કુલ જ નહિં.

હા જી. અમે વાત કરી રહ્યાં છીએ શાહરુખ ખાન વિશે કે જેઓ હાલ પોતાના જીવનના ખાસ માણસ અને પિતા તુલ્ય દિગ્દર્શક યશ ચોપરાના નિધનના પગલે આઘાતમાં છે.
શાહરુખ આવતા વર્ષે ઈદ ઉપર પોતાની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ રિલીઝ કરવાના હતાં કારણ કે તેમને ખબર પડી હતી કે આવતા વર્ષે ઈદ ઉપર સલમાન ખાન પોતાની ફિલ્મ શેર ખાન રિલીઝ કરવાનાં છે. પરંતુ સલમાન તો સલમાન જ છે. તેમણે પોતાની હોમ પ્રોડક્શનની આ ફિલ્મ શેર ખાન રિલીઝ કરવાનો ઇરાદો અચાનક પડતો મુક્યો અને સાઉથની રીમેક વૃંદાવનમ્ ફિલ્મ હિન્દીમાં રિલીઝ કરવાની જાહેરાત કરી નાંખી.
સલમાનની આ ચાલ સામે કિંગ ખાને સમજણપૂર્વક કામ લીધું અને દલીલમાં પડ્યાં વગર પોતાની ફિલ્મની રિલીઝની ડેટ આગળ વધારી દીધી. કદાચ સમયની પણ આ જ માંગ છે. તેને પગલે શાહરુખે વગર કોઈ સંઘર્ષે ઉતર્યાં પોતાની ફિલ્મની રિલીઝની ડેટ આગળ વધારી દીધી.












Click it and Unblock the Notifications
