શોકગ્રસ્ત શાહરુખે સલમાન સાથે સંઘર્ષ ટાળ્યો

મુંબઈ, 25 ઑક્ટોબર : બૉલીવુડના કિંગ ખાન આજકાલ બહુ જ દુઃખી અને શોકગ્રસ્ત છે. તેથી જ કદાચ તેઓ હાલ કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવા નથી માંગતા. ખાસ તો સલમાન ખાન સાથે બિલ્કુલ જ નહિં.

Salman & Shahrukh

હા જી. અમે વાત કરી રહ્યાં છીએ શાહરુખ ખાન વિશે કે જેઓ હાલ પોતાના જીવનના ખાસ માણસ અને પિતા તુલ્ય દિગ્દર્શક યશ ચોપરાના નિધનના પગલે આઘાતમાં છે.

શાહરુખ આવતા વર્ષે ઈદ ઉપર પોતાની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ રિલીઝ કરવાના હતાં કારણ કે તેમને ખબર પડી હતી કે આવતા વર્ષે ઈદ ઉપર સલમાન ખાન પોતાની ફિલ્મ શેર ખાન રિલીઝ કરવાનાં છે. પરંતુ સલમાન તો સલમાન જ છે. તેમણે પોતાની હોમ પ્રોડક્શનની આ ફિલ્મ શેર ખાન રિલીઝ કરવાનો ઇરાદો અચાનક પડતો મુક્યો અને સાઉથની રીમેક વૃંદાવનમ્ ફિલ્મ હિન્દીમાં રિલીઝ કરવાની જાહેરાત કરી નાંખી.

સલમાનની આ ચાલ સામે કિંગ ખાને સમજણપૂર્વક કામ લીધું અને દલીલમાં પડ્યાં વગર પોતાની ફિલ્મની રિલીઝની ડેટ આગળ વધારી દીધી. કદાચ સમયની પણ આ જ માંગ છે. તેને પગલે શાહરુખે વગર કોઈ સંઘર્ષે ઉતર્યાં પોતાની ફિલ્મની રિલીઝની ડેટ આગળ વધારી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X