શાહરુખનું મોટાપણું, અજયને કહ્યું બેસ્ટ ઑફ લક
મુંબઈ, 30 ઑક્ટોબર : બૉલીવુડના કિંગ ખાનની ફિલ્મ જબ તક હૈ જાન (જેટીએચજે) અને બૉલીવુડના સિંઘમની ફિલ્મ સન ઑફ સરદાર (એસઓએસ) બંને એક જ દિવસે એટલે કે 13મી નવેમ્બર દીવાળીના રોજ રિલીઝ થઈ રહી છે, પરંતુ આ અંગે ઘણું બધું લખાઈ ચુક્યું છે કે અજય દેવગણની એસઓએસની ડેટ્સ આગળ વધારવા માટે કહેવાય છે કે પછી તેના માટે તેમને ધમકીઓ મળી રહી છે.
તાજો તડકો તો સલમાન ખાને લગાવ્યો કે તેઓ અજય સાથે એસઓએસ ફિલ્મના પ્રમોશન માટે જોતરાઈ ગયાં અને અજય માટે આયટમ નંબર પણ કર્યું, પરંતુ આ તમામ વાતોથી ઉપરવટ જઈ કિંગ ખાન શાહરુખ ખાને એક હુ જ ઊંચી વાત કરી.
શાહરુખે મોટાપણું દાખવતાં જણાવ્યું કે મને સારું લાગી રહ્યું છે કે મારા ફિલ્મ સાથે જ અજય દેવગણની ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. હું તેમને તેમની ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું છું. આ સ્પર્ધા સ્વસ્થ જ રહેવા દઇએ. આ વાત માટે હું મીડિયા વાળાઓને દરખાસ્ત કરુ છું કે, કારણ કે ફિલ્મને રિલીઝ કરવામાં મોડું કરવું કાયમ ઘાતક નીવડે છે.
આખરે એક તારીખે અમારી અને અજય દેવગણ બંનેની ફિલ્મોની ફિલ્મો પહેલી વાર તો રિલીઝ થઈ નથી રહી. આ અગાઉ પણ ઘણી વાર આવું બન્યું છે. તેથી આ વાતને મુદ્દો બનાવવાની જરૂર નથી. હવે ફિલ્મ તેની જ ચાલશે, જેને દર્શકો પસંદ કરશે. તેથી એક જ રિલીઝ ડેટ અંગે પંગો કરવો જોઇએ નહિં.