શાહરુખે પણ કરવી પડી છે ઘણી બધી સમજૂતીઓ.
મુંબઈ, 18 સપ્ટેમ્બર : દરેક માણસનું જીવન સમજૂતીઓથી ભરેલું હોય છે. સંબંધોથી લઈને પોતાની ઇચ્છાઓ અને પોતાના સપનાઓ સુધીમાં માણસે સમજૂતીઓ કરવી પડે છે.
પણ માત્ર સામાન્ય માણસે જ સમજૂતીઓ દ્વારા જીવન જીવવુ પડે છે એવું નથી. મોટા અને સફળ માણસોએ પણ ઘણી વાર ઘણી બધી સમજૂતીઓ કરવી પડે છે. બૉલીવુડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાને પણ પોતાના જીવનમાં ઘણી સમજૂતીઓ કરી છે અને આ વાતનો તેમણે સ્વીકાર પણ કર્યો છે.
આજે જ શાહરુખે ટ્વિટર પર ટ્વિટ કર્યું છે, ‘મતભેદો ક્યારેક-ક્યારેક બે વ્યક્તિઓને નજીક લઈ આવે છે અને ક્યારેક-ક્યારેક તેમને જુદાં કરી દે છે. પણ બંને જ પરિસ્થિતિઓમાં આપે સમજૂતી કરવી પડશે. તેથી ખુશ રહીને સમજૂતીઓ અપનાવો-સ્વીકારો.'
શાહરુખ ખાને ઘણાં સુંદર અંદાજમાં સંબંધો અને તેમને નિભાવવાની રીત સમજાવી દીધી, પણ સાથે-સાથે તેમણે આડકતરી રીતે એ પણ જણાવી દીધું કે તેમણે પોતે પણ પોતાના જીવનમાં ઘણી સમજૂતીઓ કરી છે.
શાહરુખના જીવન અંગે તો દરેકને ખબર છે અને દરેકને તેમના જીવનની મુશ્કેલીઓ અંગે પણ માહિતી છે, પણ તેમણે કિંગ ખાનની કુર્સી સુધી પહોંચતા કેટલી મુશ્કેલીઓ અને સમજૂતીઓથી ભરેલું જીવન જીવ્યું છે, તે પોતે જ જાણે છે, બીજું કોઈ નહિં.
જોવા જઇએ તો હાલ શાહરુખ પાસે દરેક એવી ચીજ છે, જે કોઈ પણ માણસના જીવનને સુંદર બનાવી શકે છે, જેમ કે તેમના બાળપણનો પ્રેમ ગૌરી ખાન, તેમની પુત્રી સુહાના, બૉલીવુડના કિંગ ખાનની ઉપાધિ, કરોડો ફેન્સ અને બેહદ સફળતા. આમ છતાં શાહરુખ આજે પણ પોતાની માટી અને પોતાના અત્યાર સુધીના મુશ્કેલીજનક સફરને યાદ કરે છે.