‘રસપ્રદ ને અસરકારક સંદેશ આપે છે શિપ ઑફ થેસસ’
મુંબઈ, 15 જૂન : બૉલીવુડ ફિલ્મ અભિનેતા કિરણ રાવ યૂટીવી મોશન મિક્ચર્સ સાથે મળી દિગ્દર્શક આનંદ ગાંધીની ફિલ્મ શિપ ઑફ થેસસ રિલીઝ કરનાર છે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં દર્શકો માટે સંદેશ છે અને તે લોકોને ગમશે.

39 વર્ષીય કિરણે એક વાતચીત દરમિયાન જણાવ્યું - ફિલ્મમાં રસપ્રદ તથા અસરકારક સંદેશ છે. અમે લોકો જે રીતે પોતાનું જીવન જીવીએ છીએ અને કઈ રીતે જીવનને બહેતર બનાવી શકીએ, તે અંગે ફિલ્મનું પોતાનું એક વિચાર છે. તે દરેકને ગમશે.
ફિલ્મના પ્રમોશન દરમિયાન પતિ આમિર ખાનની હાજરી અંગેના સવાલ પર તેમણે જણાવ્યું - આમિર ખાન પ્રમોશનમાં હાજર નહિં રહે. જોકે તેમને સમય મળશે, તો ફિલ્મની ખાસ સ્ક્રીનિંગ તથા પ્રમોશનલ કાર્યક્રમોમાં હાજર રહેવાનો પ્રયત્ન કરશે. તેઓ મને પુરતો સહકાર આપે છે.
માનવીય મૂલ્યો પર આધારિત શિપ ઑફ થેસસ ફિલ્મ ત્રણ વ્યક્તિઓની વાર્તા છે કે જેમાંનો એક પ્રયોગાત્મક ફોટોગ્રાફર, એક બીમાર બુદ્ધિમાન બૌદ્ધ ભિખુ તથા ત્રીજો શૅરબ્રોકર છે. ટોરંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શન દરમિયાન ફિલ્મના વખાણ થયાં છે. ફિલ્મ 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
