For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘રસપ્રદ ને અસરકારક સંદેશ આપે છે શિપ ઑફ થેસસ’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 જૂન : બૉલીવુડ ફિલ્મ અભિનેતા કિરણ રાવ યૂટીવી મોશન મિક્ચર્સ સાથે મળી દિગ્દર્શક આનંદ ગાંધીની ફિલ્મ શિપ ઑફ થેસસ રિલીઝ કરનાર છે. તેમણે જણાવ્યું કે ફિલ્મમાં દર્શકો માટે સંદેશ છે અને તે લોકોને ગમશે.

kiranrao

39 વર્ષીય કિરણે એક વાતચીત દરમિયાન જણાવ્યું - ફિલ્મમાં રસપ્રદ તથા અસરકારક સંદેશ છે. અમે લોકો જે રીતે પોતાનું જીવન જીવીએ છીએ અને કઈ રીતે જીવનને બહેતર બનાવી શકીએ, તે અંગે ફિલ્મનું પોતાનું એક વિચાર છે. તે દરેકને ગમશે.

ફિલ્મના પ્રમોશન દરમિયાન પતિ આમિર ખાનની હાજરી અંગેના સવાલ પર તેમણે જણાવ્યું - આમિર ખાન પ્રમોશનમાં હાજર નહિં રહે. જોકે તેમને સમય મળશે, તો ફિલ્મની ખાસ સ્ક્રીનિંગ તથા પ્રમોશનલ કાર્યક્રમોમાં હાજર રહેવાનો પ્રયત્ન કરશે. તેઓ મને પુરતો સહકાર આપે છે.

માનવીય મૂલ્યો પર આધારિત શિપ ઑફ થેસસ ફિલ્મ ત્રણ વ્યક્તિઓની વાર્તા છે કે જેમાંનો એક પ્રયોગાત્મક ફોટોગ્રાફર, એક બીમાર બુદ્ધિમાન બૌદ્ધ ભિખુ તથા ત્રીજો શૅરબ્રોકર છે. ટોરંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શન દરમિયાન ફિલ્મના વખાણ થયાં છે. ફિલ્મ 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.

English summary
Filmmaker Kiran Rao, who is releasing director Anand Gandhi's critically acclaimed directorial venture "Ship of Theseus" in association with UTV Motion Pictures in India, says the movie carries an impressive message for the audience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X