Simar Bhatia Debut : કોણ છે સિમર ભાટીયા? જે અગસ્ત્ય નંદા સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે?
Simar Bhatia Debut : 2025 માં ઘણા સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. આ લિસ્ટમાં એક ચર્ચિત નાન સિમર ભાટીયાનું છ
સિમર ભાટીયા પણ એ લિસ્ટમાં સામેલ છે જેમાં પુત્રી ખુશી કપૂર, અમન દેવગન, શનાયા કપૂર અને રવિના ટંડનની પુત્રી રાશા થડાની સામેલ છે. આ તમામ સ્ટાર કિડ્સ આ વર્ષે મોટા પરદા પર જોવા મળશે.

સિમર ભાટિયા આ વર્ષે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. અગસ્ત્ય નંદાની આ બીજી ફિલ્મ છે અને આમાં તે સિમર સાથે જોવા મળશે.
અગસ્ત્યએ ઝોયા અખ્તરની ધ આર્ચીઝથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને હવે તે સિમર ભાટિયા સાથે તેની બીજી ફિલ્મ ઇક્કિસમાં જોવા મળશે.
સિમર ભાટિયા અક્ષય કુમારની ભત્રીજી છે. સિમર ભાટિયા ઘણી વખત અભિનેતાના પરિવાર સાથે સમય વિતાવતી જોવા મળી છે. અક્ષય કુમાર તેની ભત્રીજીના બોલિવૂડમાં ડેબ્યૂને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે અને આ વાત તેણે તેની પ્રિય ભત્રીજી માટે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે, આ પોસ્ટ ખૂબ જ ભાવનાત્મક અને હૃદયસ્પર્શી હતી.
અક્ષય કુમારે લખ્યું કે, મને યાદ છે જ્યારે મેં પહેલીવાર છાપામાં મારો ફોટો જોયો ત્યારે મને લાગ્યું કે આ કદાચ દુનિયાની સૌથી મોટી ખુશી છે, પરંતુ આજે મને ખબર પડી કે બાળકોનો ફોટો અખબારમાં જોવાથી મોટી ખુશી બીજી કોઈ ન હોઈ શકે.
અક્ષય કુમારે લખ્યુ કે, જો આજે મારી મા જીવતી હોત તો તે આ જોઈને ખૂબ ખુશ થાત અને કહેત કે સિમર પુત્તર તું કમાલ છે. અક્ષય કુમારે પોતાની ભત્રીજી સિમર પર ખૂબ પ્રેમ વરસાવ્યો અને લખ્યું ઘણો ઘણો પ્રેમ અને શુભકામનાઓ, આ આખું આકાશ તમારું છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
