Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તેને તો ફાંસી લગાવી દીધી, પરંતુ હું આજ સુધી ઘૂંટાઈ ઘૂંટાઈ ને મરું છું

આખરે ફરી એકવાર સૂરજ પંચોલીએ જિયા ખાન આત્મહત્યા કેસમાં પોતાની ચુપ્પી તોડી છે. આ વખતે તેનો ગુસ્સો બહાર આવ્યો છે. સૂરજ પંચોલીએ કહ્યું કે જે દિવસથી જિયા ખાને ફાંસી લગાવી દીધી છે તે દિવસથી આજ સુધી હું રોજ મરું છું. કારણે લોકો રોજ મને ગુનેગારની નજરથી જુએ છે.

jiah khan suicide case

કેટલીક વસ્તુઓ તો કોર્ટ પહેલા જ મીડિયામાં બહાર આવી જાય છે અને મારા પર પબ્લિકમાં કેસ ચલાવવામાં લાગી જાય છે. પરંતુ કોઈને પણ આ વાતની સમજ નથી કે મેં મારા ખાસ વ્યક્તિને ગુમાવ્યો છે.

jiah khan suicide case

હું પણ ન્યાયની એટલી જ રાહ જોઈ રહ્યો છું જેટલી બીજા લોકો જુએ છે. મારે પણ જાણવું છે કે આખું સત્ય શુ છે. પરંતુ જયારે પણ મારી જિદંગી નોર્મલ થઇ જાય છે. લોકો મને ખેંચીને પાછળ ધકેલી દે છે. જ્યાંથી તે ખુબ જ મુશ્કિલથી બહાર આવી શક્યો છે.

jiah khan suicide case

જિયા ખાનની માતા રાબિયા ખાને પણ આરોપ લગાવ્યો છે કે તેની દીકરીએ આત્મહત્યા નથી કરી. પરંતુ તેની હત્યા થયી છે. તેમનું કહેવું છે કે તેની હત્યા માટે સૂરજ પંચોલી જવાબદાર છે.જિયા ખાનની આત્મહત્યા કેસમાં એક બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીએ કેટલાક તાજા ખુલાસા કર્યા છે. જે વાસ્તવિક રિપોર્ટથી બિલકુલ અલગ જ છે. બ્રિટિશ એક્સપર્ટ પેન જેમ્સની રિપોર્ટ અનુસાર જિયા ખાનની આત્મહત્યાનો સીન પુરી રીતે નાટકીય હતો.

jiah khan suicide case

આ રિપોર્ટનું માન્યે તો જિયા ખાનની ગર્દન અને ચહેરાના નિશાન સાફ જણાવે છે કે તે આત્મહત્યાનો કેસ નથી. જિયા ખાનના હોઠ પર જે નિશાન હતા તે દાંતના નથી. પરંતુ ચોટના નિશાન હતા જે જબરજસ્તી મોઢાને ઢાંકવાથી આવે છે.

jiah khan suicide case

સીબીઆઈની રિપોર્ટ અનુસાર હોઠ પર નિશાન દાંતના હતા જે ફાંસી લગાવ્યા પછી ગળું ઘૂંટાવાથી આવે છે. પરંતુ બ્રિટિશ ફોરેન્સિક એજેન્સીના જણાવ્યા અનુસાર દુપટ્ટાથી આવા નિશાન આવવા શક્ય જ નથી.જિયા ખાને આત્મહત્યા કરતાં પહેલાં જે 6 પાનાનો છેલ્લો પત્ર લખ્યો હતો તે એનાં બેડરૂમમાંથી મળી આવ્યા બાદ પોલીસે સૂરજને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તે પત્રમાં જિયાએ સૂરજ સાથે તેનાં બગડેલા પ્રેમસંબંધનો ઉલ્લેખ કર્યો છે.

jiah khan suicide case

જિયાના ઘરના સભ્યોને આ સુસાઇડ નોટ ઘરની સાફ-સફાઈ દરમિયાન મળીહતી. તેમણે આ નોટ પોલીસને સોંપી દીધી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સુસાઇડ નોટમાં રાઇટિંગ જિયાની છે કે કેમ? જોકે જિયાના અંતિમ સંસ્કાર બાદ તેમના માતા રાબિયા ખાને સૂરજ પંચોલી સામે આરોપ મૂક્યો હતો કે તેણે મારા પુત્રી સાથે દગો કર્યો. મારી પુત્રી માસૂમ હતી. સૂરજે તેનો ભરોસો તોડ્યો.

jiah khan suicide case

જિયા ખાન સૂરજ દ્વારા સગર્ભા પણ થયા હતાં અને પછી તેમણે ગર્ભપાત કરાવ્યુ હતું. પરંતુ આમ છતાં જિયા ખાન સૂરજ પંચોલી ઉપર આંખ બંધ કરી ભરોસો કરતા રહ્યાં.

jiah khan suicide case
jiah khan suicide case
jiah khan suicide case
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X