મોત પહેલા શ્રીદેવીએ બનાવ્યો હતો આવો પ્લાન, આટલા માટે ગઈ હતી બાથરુમ, 6 વર્ષ પછી સામે આવ્યુ સત્ય
Sridevi: વર્ષ 2018માં હિન્દી ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના આકસ્મિક મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. શ્રીદેવી એક મહાન અભિનેત્રી તો હતી જ પરંતુ લોકો તેની સુંદરતાના પણ દિવાના હતા. શ્રીદેવીના મૃત્યુને હવે 6 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ લોકો સમજી શક્યા નથી કે હોટલના બાથરૂમમાં શ્રીદેવી સાથે એવું શું થયું કે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.
મીડિયા રિપોર્ટ અનુસાર, દુબઈની એક મોટી હોટલના બાથરૂમના બાથટબમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્ની શ્રીદેવીના આકસ્મિક નિધન બાદ બોની કપૂરે આ મામલે મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ થોડા સમય પહેલા તેણે આ અંગે ખુલીને વાત કરી હતી. બોની કપૂરે શ્રીદેવીના મૃત્યુને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.

તમને જણાવી દઈએ કે જ્યારે શ્રીદેવીનું નિધન થયું ત્યારે તેનો આખો પરિવાર દુબઈમાં હાજર હતો. શ્રીદેવી પારિવારિક લગ્નમાં હાજરી આપવા દુબઈ પહોંચી હતી. બોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શ્રીદેવીના મૃત્યુના થોડા સમય પહેલા કપલે દુબઈની એક આલીશાન હોટલમાં ડિનર ડેટનું આયોજન કર્યું હતું. શ્રીદેવી ડિનર પર જવા તૈયાર થવા માટે બાથરૂમમાં ગઈ હતી.
દિવંગત અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરે આગળ કહ્યું - શ્રીદેવી તૈયાર થવા માટે બાથરૂમમાં ગઈ અને લાંબા સમય સુધી બહાર ન આવી. આ પછી, જ્યારે મને ચિંતા થઈ ત્યારે મેં ફોન કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. આ પછી જ્યારે બાથરૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે શ્રીદેવી બાથટબમાં પડી હતી અને તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. તે બાથટબના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી.
આ પછી શ્રીદેવીને દુબઈની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આ મામલે તપાસ પણ કરી હતી પરંતુ ત્રણ દિવસમાં કેસ બંધ કરી દીધો હતો. બોની કપૂરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શ્રીદેવી ખૂબ જ સ્ટ્રીક્ટ ડાયટ લેતી હતી, જેમાં મીઠું બિલકુલ નહોતું રહેતુ. આ કારણે શ્રીદેવી ક્યારેક બ્લેક આઉટ થઈ જતી હતી. તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું થઈ જતુ હતું. આવી સ્થિતિમાં, શક્ય છે કે તે બાથરૂમમાં બેભાન થઈ ગઈ હોય.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
