મોત પહેલા શ્રીદેવીએ બનાવ્યો હતો આવો પ્લાન, આટલા માટે ગઈ હતી બાથરુમ, 6 વર્ષ પછી સામે આવ્યુ સત્ય
Sridevi: વર્ષ 2018માં હિન્દી ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના આકસ્મિક મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. શ્રીદેવી એક મહાન અભિનેત્રી તો હતી જ પરંતુ લોકો તેની સુંદરતાના પણ દિવાના હતા. શ્રીદેવીના મૃત્યુને હવે 6 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ લોકો સમજી શક્યા નથી કે હોટલના બાથરૂમમાં શ્રીદેવી સાથે એવું શું થયું કે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.
મીડિયા રિપોર્ટ અનુસાર, દુબઈની એક મોટી હોટલના બાથરૂમના બાથટબમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્ની શ્રીદેવીના આકસ્મિક નિધન બાદ બોની કપૂરે આ મામલે મૌન જાળવી રાખ્યું હતું, પરંતુ થોડા સમય પહેલા તેણે આ અંગે ખુલીને વાત કરી હતી. બોની કપૂરે શ્રીદેવીના મૃત્યુને લઈને ઘણા ખુલાસા કર્યા હતા.

તમને જણાવી દઈએ કે જ્યારે શ્રીદેવીનું નિધન થયું ત્યારે તેનો આખો પરિવાર દુબઈમાં હાજર હતો. શ્રીદેવી પારિવારિક લગ્નમાં હાજરી આપવા દુબઈ પહોંચી હતી. બોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શ્રીદેવીના મૃત્યુના થોડા સમય પહેલા કપલે દુબઈની એક આલીશાન હોટલમાં ડિનર ડેટનું આયોજન કર્યું હતું. શ્રીદેવી ડિનર પર જવા તૈયાર થવા માટે બાથરૂમમાં ગઈ હતી.
દિવંગત અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરે આગળ કહ્યું - શ્રીદેવી તૈયાર થવા માટે બાથરૂમમાં ગઈ અને લાંબા સમય સુધી બહાર ન આવી. આ પછી, જ્યારે મને ચિંતા થઈ ત્યારે મેં ફોન કર્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. આ પછી જ્યારે બાથરૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે શ્રીદેવી બાથટબમાં પડી હતી અને તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. તે બાથટબના પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી.
આ પછી શ્રીદેવીને દુબઈની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આ મામલે તપાસ પણ કરી હતી પરંતુ ત્રણ દિવસમાં કેસ બંધ કરી દીધો હતો. બોની કપૂરે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શ્રીદેવી ખૂબ જ સ્ટ્રીક્ટ ડાયટ લેતી હતી, જેમાં મીઠું બિલકુલ નહોતું રહેતુ. આ કારણે શ્રીદેવી ક્યારેક બ્લેક આઉટ થઈ જતી હતી. તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું થઈ જતુ હતું. આવી સ્થિતિમાં, શક્ય છે કે તે બાથરૂમમાં બેભાન થઈ ગઈ હોય.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
