Sridevi : શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત આવતા કેમ થઇ વાર, જાણો અહીં
શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ આવી ચૂક્યો છે. બુધવારે તેમનો અંતિમ સંસ્કાર થશે. આ મામલે થયેલી લેટેસ્ટ અપટેડ જાણો વિગતવાર અહીં.
શનિવારે મોડી રાતે દુબઇમાં બોલીવૂડની લોકપ્રિય અને પ્રતિભાવાન અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું. તે લાંબી પ્રક્રિયા પછી શ્રીદેવીનો પાર્થિવ દેહ મંગળવારે 10 વાગે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના નિધનને 3 દિવસ થવા આવ્યા હતા. રવિવાર સાંજથી જ માનવામાં આવતું હતું કે દુબઇથી શ્રીદેવનો પાર્થિવ દેહ આવ્યા પછી તેની અંતિમયાત્રા કરવામાં આવશે. સોમવારે પછી આખરે મંગળવારે મોડી રાતે હવે તેનો પાર્થિવ દેહ માદરે વતન ભારત પહોંચ્યો હતો. આ મામલે લાંબુ સસ્પેન્સ બનેલું રહ્યું હતું. પણ છેવટે આજે બપોરે શ્રીદેવીના પરિવારને તેનો પાર્થિવ દેહ દુબઇથી મુંબઇ લાવવા માટે મંજૂરી મળી ગઇ છે. નોંધનીય છે કે તેના મોતના સમાચાર બાદ જ તેના મુંબઇ ખાતેના નિવાસ સ્થાને તેના ચાહકોની મોટી ભીડ ઉમટી રહી છે. અને બોલીવૂડના અનેક જાણીતા સ્ટાર પણ અનિલ કપૂરના ઘરે મળવા આવી રહ્યા છે. ત્યારે જાણો આ સમાચાર અંગે વધુ માહિતી અહીં...

રાતે પહોંચશે શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત
દુબઇમાં બધી પ્રક્રિયા પતાવીને મંગળવાર રાતે અનિલ અંબાણીના પ્રાઈવેટ જેટમાં શ્રીદેવીના પાર્થિવ દેહ સાથે પતિ બોની કપૂર તથા અર્જુન કપૂર દુબઇથી રવાના થઇ ચૂક્યા છે. મુંબઈ એરપોર્ટ પર આ જેટ 10.30 વાગ્યાની આસપાસ ઉતરશે. જે પછી એરપોર્ટથી સુરક્ષા સાથે શ્રીદેવીનો પાર્થિવ દેહ તેમના એપાર્ટમેન્ટ ગ્રીન એકર્સ લઈ જવામાં આવશે. અને તે પછી બુધવારે બપોરે બે વાગે તેની અંતિમવિધિ કરવામાં આવશે. આ પહેલા તેના ઘરની પાસેના જ એક સ્થળે તેનું બેસણું પણ રાખવામાં આવશે.

કેમ લાગી આટલી વાર?
શનિવારે દુબઇમાં શ્રીદેવીનું રાતે 11 વાગે નિધન થયું હતું. નિધન પછી ત્રણ દિવસ વીત્યા હોવા છતાં તેનો પાર્થિવ દેહ મુંબઇ નથી પહોંચ્યો. દુબઇની કાનૂની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરતા વધુ સમય લાગ્યો હતો. વળી પહેલા જ્યાં માનવામાં આવતું હતું કે તેમની મોત હાર્ટ અટેકના કારણે થઇ છે ત્યાં જ હવે તે મામલે પણ નવી બાબતો બહાર આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુર્ધટનાવશ ડૂબ જવાના કારણે તેમની મોત થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. જે મામલે ત્યાં પોલીસે તપાસ કરી હતી અને સરકારી વકીલ પણ આ કેસની વિગતો તપાસી આખરે આ મામલે હરી ઝંડી આપી છે.

શ્રીદેવી
જોકે હવે શ્રીદેવીના તમામ ચાહકો માટે સાચા સમાચાર આવ્યા છે. ત્રણ દિવસ પછી આખરે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ આવવા માટે જે મંજૂરી મળી ગઇ છે. સરકારી વકીલની મંજૂરી મળતા જ તેના પાર્થિવ દેહને લેપ લગાવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અને આજે મોડી સાંજ સુધીમાં શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઇ આવશે.

અંતિમ યાત્રા
ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના પાર્થિવ દેહના મુંબઇ ભાગ્ય બંગલા ખાતે જાહેર જનતા અને બોલીવૂડ સેલેબ્રિટી માટે મૂકવામાં આવશે. અને પછી આગળની પ્રક્રિયા પ્રમાણે તેના અંતિમ સંસ્કારની વિલેપાર્લેમાં કબ્રસ્તાનમાં કરવામાં આવશે. . શ્રીદેવીની અંતિમ યાત્રામાં પણ તેના મિત્રો, પરિવારજનો અને રાજનૈતિક નેતાઓ સમેત તેના કરોડો ચાહકો જોડાશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
