કિંગખાનના ખભાનું સફળતાપુર્વક ઓપરેશન
લેખક અને શાહરુખના નજીકના મિત્ર સર્જરી અંગે કહ્યું હતું કે તેની સફળતાપુર્વક સર્જરી કરવામાં આવી છે. નોંધનીય છે કે, તેને રા વન ફિલ્મ દરમિયાન ઇજા પહોંચી હતી પરંતુ ચેન્નાઇ એક્સપ્રેસના શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તેણે સર્જરી કરાવી નહોતી. ડોક્ટર્સે તેને બેથી ત્રણ દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
આ પહેલા ડીએનએના જણાવ્યા અનુસાર શાહરુખ ખાનને આ તફલીફ લાંબાગાળાથી છે અને ચેન્નઇ એક્સપ્રેસ ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમને તફલીફ વધી ગઇ હતી. તેમના ડાબો ખભો નબળો છે અને તેની એક નાની સર્જરી મુંબઇની બ્રીચ કેંડી હોસ્પિટલમાં થોડાં વર્ષો પહેલાં કરવામાં આવી હતી.
શાહરૂખ ખાનના પરિવાર અને તેમના અંગત મિત્રોને જ ખબર છે કે આ સર્જરીની રૂપરેખા મુંબઇ ખાતેની લીલાવતી હોસ્પિટલમાં નક્કી કરવામાં આવી છે. ઓપરેશન બાદ તેમને થોડાં દિવસો સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે અને ત્યારબાદ તેમને ઠીક થતાં લગભગ એક મહિના જેટલો સમય લાગશે. શાહરૂખ ખાન સ્ટાર ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસ પુરી થતાં અને આઇપીએલની સ્પર્ધા પુરી થયા આ બાદ ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો છે.