For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનુ કમબેક?

એક વાર ફરી એ આશા જાગી છે કે કદાચ સુનીલ ગ્રોવર જૂના મનમોટાવ ભૂલીને કપિલ સાથે શોમાં આવી રહ્યા છે

|
Google Oneindia Gujarati News

સોની ટીવીના જાણીતા શો ધ કપિલ શર્મા લાખો લોકોના દિલમાં વસે છે. શોના બધા કલાકારો લોકોને હસાવી રહ્યા છે અને ખિલખિલાવી રહ્યા છે જેના કારણે લોકો થોડી વાર માટે પોતાના બધા દુઃખો ભૂલી જાય છે પરંતુ આજે પણ શોમાં ક્યાંકને ક્યાંક સુનીલ ગ્રોવરની કમી અનુભવાય છે કે જે ક્યારેક ડૉ. ગુલાટી કે રિંકુ ભાભી બનીને લોકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દેતા હતા.

સુનીલ ગ્રોવરે કર્યો ચોંકાવનારુ ટ્વીટ

સુનીલ ગ્રોવરે કર્યો ચોંકાવનારુ ટ્વીટ

એક વાર ફરી એ આશા જાગી છે કે કદાચ સુનીલ ગ્રોવર જૂના મનમોટાવ ભૂલીને કપિલ સાથે શોમાં આવી રહ્યા છે કારણકે સુનીલ ગ્રોવરે જે ટ્વિટ કર્યુ છે તેનાથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સુનીલ કદાચ પોતાના જૂના દોસ્ત કપિલે સાથે સમાધાન કરી લીધુ છે. વાસ્તવમાં સુનીલે ટ્વીટ કર્યુ છે કે બધી મળી જાય છે, કંઈ પણ હંમેશા માટે નથી રહેતુ, એટલા માટે હંમેશા બીજાના આભારી રહો, આ જ મૂળ મંત્ર છે અને હા, ખૂબ હસો. બાકી મારા હસબન્ડ મને...

સુનીલનુ કમબેક?

સુનીલ ગ્રોવરના માય હસબન્ડ... કહેવાથી લોકોને શોની રિંકુ ભાભી યાદ આવી ગઈ ત્યારબાદથી જ સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમ થઈ ગઈ છે કે સુનીલનુ કમબેક કપિલના શોમાં થવા જઈ રહી છે, આ માત્ર તમારા બંને માટે જ નહિ પરંતુ અમારા બધા માટે બેસ્ટ વાત હશે.

સલમાન પ્રોડ્યુસ કરી રહ્યા છે કપિલનો શો

સલમાન પ્રોડ્યુસ કરી રહ્યા છે કપિલનો શો

જો કે તમને જણાવી દઈએ કે લાંબા સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે સુનીલનુ કમબેક કપિલના શોમાં થઈ શકે છે કારણકે કપિલના શોને આ વખતે સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે અને સલમાન અને સુનીલ ગ્રોવર વચ્ચે ઘણા સારા સંબંધ છે. સુનીલે તો સલમાનની ફિલ્મોમાં કામ પણ કર્યુ છે, એવામાં જો સલમાન ઈચ્છે કે સુનીલનું કમબેક શોમાં થાય તો કપિલ ઈચ્છીને પણ ના પાડી શકે નહિ. પરંતુ હાલમાં લાગી રહ્યુ છે કે સુનીલ-કપિલ વચ્ચે સલમાનના હસ્તક્ષેપ કર્યા વિના જ વાત બની ગઈ છે.

ગુત્થી, રિંકુ ભાભી અને ડૉ. ગુલાટીને ભૂલી ચૂક્યા છે

ગુત્થી, રિંકુ ભાભી અને ડૉ. ગુલાટીને ભૂલી ચૂક્યા છે

જો કે તમને જણાવી દઈએ કે કપિલ શર્મા શોમાં હાલમાં કૃષ્ણાએ ધમાલ મચાવેલી છે. તે સપનાની ભૂમિકાથી દરેકના દિલમાં વસી ગઈ છે. હાલમાં જ જ્યારે એક મીડિયા ઈવેન્ટમાં તેને સુનીલ ગ્રોવર વિશે સવાલ કરવામાં આવ્યો તો કૃષ્ણાએ કહ્યુ હતુ કે હવે લોકો ગુત્થી, રિંકુ ભાભી અને ડૉ. ગુલાટીને ભૂલી ચૂક્યા છે. એવામાં જો ખરેખર સુનીલનુ કમબેકશોમાં થાય તો એ જોવાનુ રસપ્રદ રહેશે કે કૃષ્ણાની ભૂમિકા અને રિએક્શન શોમાં શું થાય છે.

શું થયુ હતુ?

શું થયુ હતુ?

તમને જણાવી દઈએ કે કપિલ અને સુનીલ વચ્ચે માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયાથી પાછા આવતી વખતે ફ્લાઈટમાં ઝઘડો થઈ ગયો હતો. સમાચાર આવ્યા હતા કે તે દિવસે કપિલ શર્મા ફ્લાઈટમાં નશામાં હતા અને તેણે સુનીલ તરફ ચંપલ ફેંક્યુ હતુ ત્યારબાદ સુનીલે કપિલના શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ છોડી દીધો હતો. ત્યારબાદ કપિલ શર્મા શોની ટીઆરપી ઘટી ગઈ હતી, કપિલ ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. તેમની તબિયત પણ બગડી ગઈ હતી. તેમનો શો પણ બંધ થઈ ગયો હતો અને કપિલ ઘણા બધા ઉતાર ચડાવમાંથી પસાર થયા હતા. તે મીડિયાથી પણ દૂર થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ કપિલે પોતાને સંભાળ્યા અને ટીવી પર શાનદાર કમબેક કર્યુ.

English summary
sunil grover back on the kapil sharma show his cryptic tweet hints so
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X