સુશાંત સિંહ રાજપૂત કેસઃ એઈમ્સની પેનલે સીબીઆઈને સોંપ્યો રિપોર્ટ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એઈમ્સની પેનલે સીબીઆઈને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.
નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એઈમ્સની પેનલે સીબીઆઈને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. હવે એઈમ્સના રિપોર્ટ પર સીબીઆઈ અંતિમ નિર્ણય લેશે. સુશાંત સિંહના મોતને અત્યાર સુધીના પુરાવાના આધારે આત્મહત્યા જ માનવામાં આવી રહી છે. સીબીઆઈ હવે એઈમ્સના રિપોર્ટને જોશે કે શું સુશાંત સિંહ રાજપૂતના મોતમાં કોઈ બીજુ પાસુ પણ હોઈ શકે છે. સીબીઆઈ બીજા પુરાવાથી રિપોર્ટને મિલાવશે.
હજુ સુધી કોઈ નિષ્કર્ષ નથી મળ્યા
ડૉ. સુધીર ગુપ્તાની અધ્યક્ષતાવાળી પેનલની રચના કેન્દ્રીય તપાસ બ્યુરોના અનુરોધ પર કરવામાં આવી હતી જેથી પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટનુ અધ્યયન કરી શકાય. એઈમ્સની ફૉરેન્સિક ટીમ અને સીબીઆઈની ટીમ વચ્ચે આ મીટિંગ થઈ. એઈમ્સ ફૉરેન્સિક ટીમના મુખ્ય ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યુ કે સીબીઆઈને હજુ સુધી કોઈ નિષ્કર્ષ નથી મળ્યા. માત્ર ફોટા જોઈને કોઈ નિર્ણાયક મંતવ્ય ન બનાવી શકાય. અમારુ મંતવ્ય સ્પષ્ટ અને પુરાવાના આધારે નિર્ણાયક હશે.
આત્મહત્યા જ માની રહી છે
સુશાંત સિંહ રાજપુત 14 જૂને પોતાના મુંબઈના ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા. મુંબઈ પોલિસે આને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર કેસની તપાસ સીબીઆઈને આપી દેવામાં આવી. સીબીઆઈ પણ આને હજુ સુધી આત્મહત્યા જ માની રહી છે. વાસ્તવમાં અમુક લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યુ અને ટીવી ચેનલો પર એ કહેવામાં આવ્યુ કે સુશાંત સિંહની હત્યા થઈ હોઈ શકે છે. ત્યારબાદ આ કેસમાં સીબીઆઈ આવી.
અમુક ધરપકડ પણ થઈ
સીબીઆઈ ઉપરાંત ઈડી અને એનસીબી પણ સુશાંતના મોત સાથે જોડાયેલ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ પણ તપાસ એજન્સીએ એવી શંકા નથી વ્યક્ત કરી કે સુશાંતની હત્યા થઈ હોઈ શકે છે. એનસીબીની તપાસમાં કથિત રીતે સુશાંતના ડ્રગ્ઝના બંધાણી હોવાની વાત જરૂર સામે આવી છે અને તેને ડ્રગ્ઝ પહોંચાડવા સાથે જોડાયેલા હોવાના આરોપમાં અમુક ધરપકડ પણ થઈ છે.
એક એવુ ગામ જ્યાં રહે છે માત્ર મહિલાઓ, પુરુષો પર પ્રતિબંધ