તમન્ના ભાટિયાએ આખરે વિજય વર્મા સાથે રિલેશનશિપને કર્યા કન્ફર્મ, કહ્યુ - 'મારા માટે બહુ ખાસ છે'
Tamannah Bhatia Vijay Varma: છેલ્લા ઘણા દિવસોથી તમન્ના ભાટિયા અને વિજય વર્મા તેમના સંબંધોના કારણે ખૂબ ચર્ચામાં હતા. બંને ઘણી વખત પાર્ટી અને ડિનરમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ તેમ છતાં તમન્ના ભાટિયાએ આ અફવાઓ પર મૌન સેવ્યું હતું. હવે અભિનેત્રીએ જાહેરમાં વિજય વર્મા પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો છે.
તમન્ના ભાટિયાએ આખરે વિજય વર્મા સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે. આ સાથે અભિનેત્રીએ એ પણ માહિતી આપી કે તેમનો સંબંધ લસ્ટ સ્ટોરી 2થી શરૂ થયો હતો. આ ફિલ્મમાં બંને પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની નિકટતા ઘણી વધી ગઈ હતી.

હવે તમન્ના ભાટિયાએ વિજય વર્મા સાથેના સંબંધોનો ખુલાસો કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, "તમે કોઈ પણ કો-સ્ટાર પ્રત્યે આકર્ષિત નથી થતા. મારા ઘણા કો-સ્ટાર્સ છે. જો કોઈ કોઈને પસંદ કરે, કંઈક અનુભવે, તો તે ખૂબ જ ખાસ બની જાય છે. મારો મતલબ છે કે આખરે અમે કેવી રીતે એકબીજાની નજીક આવ્યા"
જ્યારે તમન્ના ભાટિયાને પૂછવામાં આવ્યું કે શું તે વિજય વર્મા સાથે રિલેશનશિપમાં છે? ત્યારે અભિનેત્રીએ સ્વીકાર્યુ કે વિજય વર્મા સાથે તેનો ખાસ બોન્ડ છે. તમન્નાએ કહ્યું, "હા. તે ખૂબ જ ખાસ છે. તેની સાથે મારો બોન્ડ ખૂબ જ ઓર્ગેનિક છે. તે એવી વ્યક્તિ છે જેની હું ચિંતા કરુ છુ અને હું તેની સાથે ખુશ છુ."
તમને જણાવી દઈએ કે આ પહેલા વિજય વર્મા અને તમન્ના ભાટિયા ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. નવા વર્ષની ઉજવણી કરવા બંને ગોવા ગયા હતા. જ્યાંથી બંનેનો કિસ કરતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારથી સમાચાર આવવા લાગ્યા કે વિજય અને તમન્ના એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે અભિનેત્રીએ આ અફેરના સમાચારને સમર્થન આપ્યું છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
