વિવાદીત નિવેદનો આપી ટ્રોલ્સના નિશાને ચડી ચુકી છે આ અભિનેત્રીઓ!
બોલિવૂડ અને વિવાદોનો જૂનો નાતો છે. બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફ અને પબ્લિક સ્ટેટમેન્ટને લઈને વિવાદો છેડતા રહે છે. વિવાદો છેડવામાં બોલિવૂડની હસીનાઓ પણ પાછળ નથી.
બોલિવૂડ અને વિવાદોનો જૂનો નાતો છે. બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફ અને પબ્લિક સ્ટેટમેન્ટને લઈને વિવાદો છેડતા રહે છે. વિવાદો છેડવામાં બોલિવૂડની હસીનાઓ પણ પાછળ નથી. આજે આપણે બોલિવૂડની કેટલીક એવી હસીનાઓની વાત કરવાના છીએ, જે તેના સ્ટેટમેન્ટને લઈને મોટો વિવાદ છેડી ચુકી છે.

અનન્યા પાંડે
અનન્યા પાંડે ખૂદ જ વિવાદો છેડતી રહે છે. એક વખત તેણે સંઘર્ષની તુલના કરણ જોહરના કોફી વિથ કરણ સાથે કરી દીધી હતી. અનન્યા પાંડેના આ નિવેદન બાદ તે ટ્રોલ્સના નિશાને આવી અને લોકોએ ખરીખોટી સંભળાવી હતી.

રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના તેની સુંદરતા સાથે સાથે વિવાદોને લઈને ચર્ચામાં રહે છે. એક વખત રશ્મિકાએ કહ્યું હતું કે, તેણે ઋષભ શેટ્ટીની કાંતારા જોઈ નથી. આ પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવું કહેતા જોવા મળ્યા કે રશ્મિકા તેના મૂળ ભૂલી ગઈ છે.

કંગના રનૌત
ક્વિનના નામે ફેમસ કંગના રનૌત વિવાદોની પણ ક્વિન છે. કંગના સતત વિવાદોમાં રહે છે. તેના નિવેદનોને લઈને તે સતત ટ્રોલ્સના નિશાને રહે છે. તેણે એક વખત કહ્યું હતું કે, મહિલા શું પહેરે છે તે સંપૂર્ણપણે તેનો બિઝનેસ છે. આ મુદ્દે ટ્રોલ્સે તેને નિશાના પર લીધી હતી અને ઉર્મિલા માતોંડકર વિશેનું નિવેદન યાદ અપાવ્યુ હતું.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ તેના નબળા સામાન્ય જ્ઞાન માટે ઘણી વખત ટ્રોલ થાય છે. એક વખત આલિયાએ કહ્યું હકું કે, જેને હું પસંદ નથી તેઓ મારી તરફ ન જોવે. તેના આ નિવેદન બાદ તે ટ્રોલ્સના નિશાને ચડી હતી. કેટલાક લોકોએ તેની ફિલ્મના બહિષ્કારની પણ વાત કરી હતી.

જ્હાન્વી કપૂર
જ્હાન્વી કપૂર તેના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હાલ હજુ તે તેના કરિયરના શરૂઆતના તબક્કામાં છે ત્યારે તેને એક વખત કહ્યું હતું કે, તેને પ્રસિદ્ધીની જરૂર નથી. તે પહેલેથી જ પ્રખ્યાત છે. તેના નિવેદનને લઈને તે ટ્રોલ્સના નિશાને આવી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
