ઠગ સુકેશ ચંદ્રશેખરનું નામ વધુ બે અભિનેત્રીઓ સાથે જોડાયું, આ નામોનો ED એ ખૂલાસો કર્યો!
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં છેતરપિંડી કરનાર અને બહુપક્ષીય ગુનેગાર સુકેશ ચંદ્રશેખરની તપાસ કરી રહી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં છેતરપિંડી કરનાર અને બહુપક્ષીય ગુનેગાર સુકેશ ચંદ્રશેખરની તપાસ કરી રહી છે, ઈડીએ કહ્યું છે કે, સુકેશના બોલિવૂડ અભિનેત્રીઓ શ્રદ્ધા કપૂર અને શિલ્પા શેટ્ટી સાથે પણ સંબધો રહ્યાં છે. સુકેશ ચંદ્રશેખરના નિવેદન અનુસાર EDએ ખુલાસો કર્યો છે કે સુકેશ 2015થી શ્રદ્ધા કપૂરને ઓળખતો હતો અને તેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) કેસમાં મદદ કરી હતી.

બોલિવૂડની અન્ય હસ્તીઓ વિશે બોલતા ચંદ્રશેખરે EDને કહ્યું કે તે અભિનેતા હરમન બાવેજાને પણ ઓળખે છે અને કાર્તિક આર્યન અભિનીત તેની આગામી ફિલ્મ "કેપ્ટન" સહ-નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યો હતો.
ચંદ્રશેખરના નિવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ પતિ રાજ કુન્દ્રાની શરતી મુક્તિ માટે તેમનો સંપર્ક કર્યો હતો. અગાઉ સુકેશ ચંદ્રશેખર સાથેના કથિત સંબંધોના સંદર્ભમાં EDએ અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીને આરોપીઓ પાસેથી લક્ઝરી કારના ટોપ મોડલ અને અન્ય મોંઘી ભેટ મળી છે.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તાજેતરમાં 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર, પત્ની લીના મારિયા પોલ અને અન્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી EDની ચાર્જશીટની નોંધ લીધી છે. હાલ તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નાણાકીય તપાસ એજન્સી EDએ તાજેતરમાં PMLA હેઠળ દિલ્હીની જેલમાંથી ચલાવવામાં આવતા ખંડણી રેકેટમાં તેની ધરપકડ કરી હતી. ED અનુસાર તપાસ દરમિયાન ચંદ્રશેખર અને તેના સહયોગીઓ સાથે સંબંધિત વિવિધ સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.
સર્ચ દરમિયાન પીએમએલએની કલમ 17 હેઠળ 16 હાઇ-એન્ડ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર કાં તો લીના મારિયા પોલની ફર્મના નામે છે અથવા તો થર્ડ પાર્ટીના નામે છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે ચંદ્રશેખરે ઈરાદાપૂર્વક ગુનાની આવકને લઈ જવા અને ટ્રાન્સફર કરવા માટે માળખું બનાવ્યું હતું અને આ રીતે મની લોન્ડરિંગની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લીધો હતો.
ચંદ્રશેખર અને લીના મારિયા પોલ સહિત અન્ય કેટલાક આરોપીઓની અગાઉ દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તાજેતરમાં આ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA)નો પણ ઉપયોગ કર્યો છે. દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો હતો કે લીના, ચંદ્રશેખર અને અન્ય લોકોએ ગુનામાંથી મળેલા નાણાંને પાર્ક કરવા માટે હવાલાનો ઉપયોગ કર્યો હતો અને શેલ કંપનીઓ બનાવી હતી.
દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે પણ ચંદ્રશેખર વિરુદ્ધ રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર્સ શિવિન્દર સિંઘ અને માલવિંદર સિંઘની પત્ની સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ FIR નોંધી હતી.












Click it and Unblock the Notifications
