માર્ચમાં લગ્ન કરશે ઉદય ચોપરા અને નરગિસ ફખરી
મુંબઈ, 4 જાન્યુઆરી : ચોંકી ગયા ને... અમે પણ ચોંકી ગયા હતાં કે જ્યારે અમને જાણ થઈ, પરંતુ આ વાત સાચી છે. ક્યારેક રણબીર કપૂર સાથે રોમાંસ અંગે ચર્ચામાં રહેનાર અભિનેત્રી નરગિસ ફખી લાંબાગાળાથી જૂનિયર ચોપરા ઉદય સાથે ડેટિંગ કરી રહ્યાં છે. તેથી જ હવે સમાચારો આવી રહ્યાં છે કે માર્ચમાં બંને લગ્ન કરવાનાં છે. બંનેના કુટુમ્બીજનોએ લગ્ન માટે હા કહી દીધી છે. એવું કહેવાય છે કે આ અંગે યશજીને ખબર હતી અને તેઓ પોતે નરગિસને વહુ બનાવવા તૈયાર હતાં. આ લગ્ન તેમની સામે જ થનાર હતાં, પરંતુ અફસોસ કે યશ ચોપરાનું અચાનક નિધન થઈ ગયું. હવે માહિતી મળે છે કે આ લગ્ન માર્ચમાં થશે.
બીજી બાજુ એમ પણ સમાચાર છે કે આદિત્ય ચોપરા અને રાણી મુખર્જી પણ હવે લગ્ન કરવાના મૂડમાં છે. શક્ય છે કે તેઓ આ જ મહીનાના અંતિમ સપ્તાહે લગ્ન કરી લે. જો એવું થાય, તો આ ચોપરા કુટુમ્બ માટે બમશી ખુશીનો મોકો હશે, કારણ કે આ કુટુમ્બના બંને દીકરાઓના ઘર વસી જશે.
જોકે સતત ફિલ્મોમાં નિષ્ફળ રહ્યા બાદ ઉદય ચોપરાએ ફિલ્મ ક્ષેત્રેથી સંન્યાસ લેવાની તૈયારી કરી લીધી છે. તેઓ અગાઉ જ કહી ચુક્યાં છે કે તેઓ પોતાની પ્રોડક્શન ફિલ્મ ધૂમ 3માં છેલ્લી વાર દેખાશે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેઓ જાહેર કરી દેશે કે તેઓ હવે ફિલ્મોમાં કામ નહીં કરે અને પ્રોડક્શનનું જ કામ સંભાળશે. બીજી બાજુ રણબીર સાથે રૉકસ્ટાર ફિલ્મમાં જલવા વિખેરનાર નરગિસે પણ હાલ કોઈ ફિલ્મ સાઇન નથી કરી.