ઘનચક્કર માટે સુવર્ણ મંદિરમાં અરદાસ કરતાં વિદ્યા
મુંબઈ, 26 જૂન : વિદ્યા બાલન લગ્ન બાદ આવી રહેલી પોતાની પ્રથમ ફિલ્મ ઘનચક્કરના પ્રમોશન માટે પૂરા ઘનચક્કર બની ગયા બાદ હવે ઈશ્વરના શરણે પહોંચ્યાં છે. વિદ્યાએ તાજેતરમાં જ પંજાબમાં અમૃતસર ખાતે જઈ સુવર્ણ મંદિરમાં ખાસ અરદાસ કરી અને ઘનચક્કરની સફળતા માટે દુઆ માંગી.

રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કર ફિલ્મ આગામી શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે અને વિદ્યા તથા તેમના કો-સ્ટાર ઇમરાન હાશમીએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કચાસ છોડી નથી. તેમણે વિવિધ ટેલીવિઝન શોમાં ફિલ્મનું પ્રમોશન કર્યું, તો વિવિધ હોટેલ અને મૉલ્સમાં જઈને પણ પોતાની આ ફિલ્મનું પ્રચાર કર્યું.
દરમિયાન વિદ્યા બાલન તાજેતરમાં જ પંજાબમાં અમૃતસર ખાતે આવેલ સુવર્ણ મંદિર પહોંચ્યાં. વિદ્યાએ સુવર્ણ મંદિરમાં માથુ ટેકવ્યું અને ઘનચક્કર ફિલ્મની સફળતા માટે અરદાસ કરી.
વિદ્યા-ઇમરાન પહેલી વાર કૉમેડી ફિલ્મમાં આવી રહ્યાં છે. ફિલ્મના નિર્માતા વિદ્યાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર છે. ઇમરાન હાશમી અગાઉ મર્ડર, ઝહર, કલયુગ, ગૅંગસ્ટર, ઝન્નત, રાઝ દ મિસ્ટ્રી કંટીન્યૂઝ, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ તથા ઝન્નત 2માં નેગેટિવ રોલમાં દેખાઈ ચુક્યાં છે. બીજી બાજુ વિદ્યા બાલન પણ કહાની અને ધ ડર્ટી પિક્ચર જેવી ગંભીર ફિલ્મો કરી ચુક્યાં છે. બંનેની આ પ્રથમ કૉમેડી ફિલ્મ ઘનચક્કર આવી રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
