For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘનચક્કર માટે સુવર્ણ મંદિરમાં અરદાસ કરતાં વિદ્યા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 જૂન : વિદ્યા બાલન લગ્ન બાદ આવી રહેલી પોતાની પ્રથમ ફિલ્મ ઘનચક્કરના પ્રમોશન માટે પૂરા ઘનચક્કર બની ગયા બાદ હવે ઈશ્વરના શરણે પહોંચ્યાં છે. વિદ્યાએ તાજેતરમાં જ પંજાબમાં અમૃતસર ખાતે જઈ સુવર્ણ મંદિરમાં ખાસ અરદાસ કરી અને ઘનચક્કરની સફળતા માટે દુઆ માંગી.

vidya-ghanchakkar

રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કર ફિલ્મ આગામી શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે અને વિદ્યા તથા તેમના કો-સ્ટાર ઇમરાન હાશમીએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કચાસ છોડી નથી. તેમણે વિવિધ ટેલીવિઝન શોમાં ફિલ્મનું પ્રમોશન કર્યું, તો વિવિધ હોટેલ અને મૉલ્સમાં જઈને પણ પોતાની આ ફિલ્મનું પ્રચાર કર્યું.

દરમિયાન વિદ્યા બાલન તાજેતરમાં જ પંજાબમાં અમૃતસર ખાતે આવેલ સુવર્ણ મંદિર પહોંચ્યાં. વિદ્યાએ સુવર્ણ મંદિરમાં માથુ ટેકવ્યું અને ઘનચક્કર ફિલ્મની સફળતા માટે અરદાસ કરી.

વિદ્યા-ઇમરાન પહેલી વાર કૉમેડી ફિલ્મમાં આવી રહ્યાં છે. ફિલ્મના નિર્માતા વિદ્યાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર છે. ઇમરાન હાશમી અગાઉ મર્ડર, ઝહર, કલયુગ, ગૅંગસ્ટર, ઝન્નત, રાઝ દ મિસ્ટ્રી કંટીન્યૂઝ, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ તથા ઝન્નત 2માં નેગેટિવ રોલમાં દેખાઈ ચુક્યાં છે. બીજી બાજુ વિદ્યા બાલન પણ કહાની અને ધ ડર્ટી પિક્ચર જેવી ગંભીર ફિલ્મો કરી ચુક્યાં છે. બંનેની આ પ્રથમ કૉમેડી ફિલ્મ ઘનચક્કર આવી રહી છે.

English summary
Vidya Balan paying obeisance at Golden Temple for success of Ghanchakkar film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X