Me Too: ‘સંસ્કારી' આલોક નાથ પર લાગ્યા બળાત્કાર, યૌન શોષણના આરોપ
કૈલાશ ખેર, વિકાસ બહેલ, ચેતન ભગત અને રજત કપૂર જેવી નામચીન હસ્તીઓ બાદ હવે યૌન શોષણનો આરોપ લાગ્યો છે હિંદી ફિલ્મોના ‘સંસ્કારી બાબુજી' એટલે કે અભિનેતા આલોક નાથ પર.
તનુશ્રી અને નાના વિવાદ બાદ બોલિવુડની ઘણી હસ્તીઓ સામે હવે લોકોએ મોઢુ ખોલ્યુ છે. કૈલાશ ખેર, વિકાસ બહેલ, ચેતન ભગત અને રજત કપૂર જેવી નામચીન હસ્તીઓ બાદ હવે યૌન શોષણનો આરોપ લાગ્યો છે હિંદી ફિલ્મોના 'સંસ્કારી બાબુજી' એટલે કે અભિનેતા આલોક નાથ પર. રાઈટર અને ફિલ્મ મેકર વિંટા નંદાએ આલોક નાથ સામે યૌન શોષણનો આરોપ લગાવીને ફેસબુર પર એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે આલોકનાથ પર ઘણા સંગીન આરોપ લગાવીને 20 દશક પહેલા થયેલા યૌન શોષણની આખી કહાની વર્ણવી છે.

‘સંસ્કારી બાબુજી' આલોક નાથ પર લાગ્યો બળાત્કારનો આરોપ
વિંટાએ ફેસબુક પર લખ્યુ છે કે તેમણે મારી સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યો. જ્યારે હું વર્ષ 1994ના જાણીતા શો ‘તારા' માટે કામ કરી રહી હતી. પોતાની પોસ્ટમાં વિંટાએ આલોક નાથનું ડાયરેક્ટ નામ નથી લીધુ પરંતુ દરેક જગ્યાએ ‘સંસ્કારી' (આલોક નાથ માટે સામાન્ય રીતે વાપરવામાં આવે છે) શબ્દનો ઉપયોગ કર્યો છે.

સંસ્કારી..... એ કર્યો મારા પર બળાત્કાર
પોતાની પોસ્ટમાં વિંટાએ ઉલ્લેખ કર્યો છે કે તેમની પત્ની મારી સારી દોસ્ત હતી. અમે એકબીજાના ઘરે આવતા-જતા હતા. એક વાર તેમના ઘરે પાર્ટીમાં અમે બધાએ દારૂ પીધો. અમે ફિલ્મી દુનિયાની વ્યક્તિઓ છે તો દારૂ પીવો અસામાન્ય વાત નહોતી. મોડી રાત થઈ જતા બધા પોતાના ઘરે જતા રહ્યા. હું પણ ચાલીને નીકળી પડી. રસ્તામાં આ વ્યક્તિ આવ્યો. તેણે મને કારમાં બેસવા કહ્યુ. મે તેના પર ભરોસો કર્યો અને હું બેસી ગઈ. મને કંઈ સમજાતુ નહોતુ. બધુ ધૂંધળુ દેખાતુ હતુ. ત્યારબાદ મારા પર બળાત્કાર કરવામાં આવ્યો.

લીડ એક્ટ્રેસ નવનીત નિશાન સાથે થયેલી ઘટનાનો પણ ઉલ્લેખ
પોતાની વાત સાથે તે શો દરમિયાન શોની લીડ એક્ટ્રેસ નવનીત નિશાન સાથે થયેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યાં એક સીન દરમિયાન આલોક પહેલા તો સેટ પર દારૂ પીને આવ્યા અને ત્યારબાદ શૉટ દરમિયાન નવનીત પર પડી ગયા. ત્યારબાદ નવનીતે તેમને થપ્પડ મારી દીધી હતી. તે એક શરાબી, ખરાબ અને શરમજનક વ્યક્તિ હતો પરંતુ તે સમયે ટીવીનો સૌથી મોટો સ્ટાર હતો. આ જ કારણ હતુ કે તેના ખોટા કામોને નજરઅંદાજ કરી દેવામાં આવતા હતા.

આલોક નાથની સફાઈ
આલોક નાથનું આના પર નિવેદન પણ સામે આવી ગયુ છે જેણે લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે. આ સમગ્ર મામલે જ્યારે એક ટીવી ચેનલે આલોક નાથની પ્રતિક્રિયા જાણવા ઈચ્છી તો આલોક નાથે કહ્યુ કે આજના જમાનામાં જો કોઈ મહિલા કોઈ પુરુષ પર આરોપ લગાવે તો પુરુષનો તેના પર કંઈ પણ કહેવાનો કોઈ અર્થ નથી રહેતો. હું વિંટાને સારી રીતે જાણુ છુ. અત્યારે આ મામલે હું ચૂપ જ રહેવાનું પસંદ કરીશ.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
