શાહરુખ, પ્રિયંકા, ફરાહ... પછી બબાલ કેમ ના થાય ?
મુંબઈ, 19 ડિસેમ્બર : આજકાલ એક ચર્ચાએ સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે અને તે છે નિર્માતા-દિગ્દર્શક ફરાહ ખાનની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરની સ્ટારકાસ્ટને લઈને. સમાચાર આવ્યા હતાં કે કિંગ ખાન ફરાહ ખાન ઉપર દબાણ નાંખી રહ્યાં છે કે ફિલ્મમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાને લેવામાં આવે. તે અંગે શાહરુખે ગઈકાલે ટ્વિટર પર લખ્યુ હતું કે આ કેટલાંક મીડિયા કર્મીઓની દેણ છે કે જેમણે ખોટું બોલી આ સમાચાર છાપ્યાં છે કે હું પ્રિયંકા સાથે કામ કરવાની ઇચ્છા ધરાવું છું તથા ફરાહને પ્રિયંકા માટે ફોર્સ કરી રહ્યો છું, પરંતુ આ વાતોમાં જરા પણ સચ્ચાઈ નથી.
પરંતુ આ કોઈ પ્રથમ વાર નથી બન્યું કે શાહરુખ તથા ફરાહની ફિલ્મો અંગે થોડીક બબાલ મચી હોય. ફરાહ જ્યારે-જ્યારે ફિલ્મો બનાવે છે, ત્યારે કંઈને કંઈક એવું થઈ જ જાય છે કે બાબત ચર્ચામાં આવી જાય છે. જ્યારે ફરાહે મૈં હૂઁ ના ફિલ્મ બનાવી હતી, ત્યારે અભિનેત્રી અમૃતા રાવ અંગે બબાલ થઈ હતી, તો જ્યારે તીસ માર ખાઁ ફિલ્મ બનાવી, ત્યારે અક્ષય કુમાર અને ફરાહની મૈત્રીના કારણે શાહરુખના ઝગડાના સમાચાર આવ્યા હતાં. તેથી જો ફરાહની ફિલ્મ અંગે બબાલ મચી છે, તો તેમાં લોકોને આશ્ચર્ય પામવાં જેવું નથી.
જોકે શક્ય છે કે ફિલ્મ પ્રત્યે લોકોમાં ઉત્સુકતા પેદા કરવા માટે આ પ્રકારની વાતો ફેલાવાતી હોય, કારણ કે આજકાલ તો ટ્રેન્ડ બની ગયું છે કે જેટલી મોટી બબાલ એટલી મોટી ફિલ્મ હિટ. તેથી પરાણે શાહરુખ-પ્રિયંકાના અફૅરના સમાચાર પ્રચારિત કરવામાં આવી રહ્યાં છે. આમ છતાં સૌ જાણે છે કે શાહરુખની લાઇફમાં ગૌરી ખાન સિવાય કોઈ જ નથી.