શાહરુખનો આજે 47મો જન્મ દિવસ, આપો શુભેચ્છાઓ
મુંબઈ, 2 નવેમ્બર : આજે બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનનો 47મો જન્મ દિવસ છે. તેઓ પોતાનો જન્મ દિવસ પરિવાર અને પોતાના નજીકના મિત્રો સાથે ઉજવવા માંગે છે. ટેલીવિઝનની દુનિયાથી પોતાનું કૅરિયર શરૂ કરનાર કિંગ ખાનની પ્રથમ ફિલ્મ દીવાના 1992માં આવી હતી. તેમાં તેમની સાથે હતાં ઋષિ કપૂર તેમજ દિવ્યા ભારતી. ફિલ્મ જબર્દશ્ત હિટ થઈ હતી અને કિંગ ખાન લોકોના હૃદયમાં વસી ગયા હતાં.
બાઝીગર તેમજ ડર ફિલ્મો દ્વારા તેમણે ફિલ્મી હીરોની છબી જ બદલી નાંખી. તેને પગલે તેમની કિસ્મતનો સિતારો એમ બુલંદીએ પહોંચ્યો કે જ્યાં પહોંચવું દરેકના ભાગ્યમાં નથી હોતું. પોતાના કૅરિયરમાં શાહરુખે અત્યાર સુધી 8 ફિલ્મ ફૅર સર્વશ્રેષ્ઠ અભિનેતાનું પુરસ્કાર જીતી ચુક્યાં છે.
સને 1995માં આવેલી દિલ દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ દ્વારા તેમણે સફલતાનો એવો ઇતિહાસ સર્જ્યો કે જેને લખવું દરેકના વશની વાત નથી હોતી. આ ફિલ્મ છેલ્લા 16 વર્ષોથી આજે પણ મુંબઈના એક થિયેટરમાં ચાલી રહી છે. દિલ તો પાગલ હૈ, પરદેશ, મોહબ્બતેં, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલ સે, દેવદાસ, વીર ઝારા, કલ હો ના હો એવી ફિલ્મો છે કે જેમણે બૉલીવુડના એક સિંપલ ખાનને બાદશાહ ખાન બનાવી નાંખી.
ફરી એક વાર રોમાંસ કિંગ શાહરુખ ખાનની રોમેન્ટિક ફિલ્મ જબ તક હૈ જાન આગામી 13મી નવેમ્બરે પ્રદર્શિત થવા જઈ રહી છે. પિતા તુલ્ય યશ ચોપરાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ કિંગ ખાનના હૃદયની ખૂબ જ નજીક છે. જોઇએ કે આ ફિલ્મ તેમના બર્થ ડે મંથમાં તેમના માટે કયો ઉપહાર લઈ આવે છે? હાલ તો વન ઇન્ડિયા પરિવાર પણ શાહરુખ ખાનના જન્મ દિવસે તેમને શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપ પણ પોતાના આ પ્રિય ખાનને બર્થ ડે વિશ કરવા માંગતા હો, તો નીચે આપેલ કૉમેન્ટ બૉક્સમાં પોતાનો શુભેચ્છા સંદેશ લખી શકો છો.