‘ડૉક્ટરનો ઇનકાર છતાં બર્થ ડે પાર્ટીમાં આવ્યા યશ’
મુંબઈ, 23 ઑક્ટોબર : યશ ચોપરાના નિધન બાદ બિગ બી અમિતાભ બચ્ચન સતત આઘાતમાં છે. હંમેશની જેમ આ વખતે પણ પોતાના દુઃખને તેમણે શબ્દોમાં ઢાળી પોતાના બ્લૉગે પોસ્ટ કર્યો છે. અમિતાભે સૌપ્રથમ તો પોતાના જન્મ દિવસના જશ્ન દરમિયાન ત્યાં ઉપસ્થિત યશજીની તસવીરો અપલોડ કરી છે અને પછી નીચે લખ્યું છે કે આ તસવીરો યશ ચોપરાની છેલ્લી તસવીરો છે.
અમિતાભે લખ્યું છે કે યશ ચોપરા બહુ જ વહેલાં આ ફાની દુનિયાને અલવિદા કરી ગયાં. તેમણે હજું જીવવું જોઇતુ હતું. અમિતાભે જણાવ્યું કે યશજી પહેલા તેમના મિત્ર હતાં અને પછી ફિલ્મમેકર.
અમિતાભે લખ્યું - મેં તેમને છેલ્લી વાર જેમ કે આપ મારા દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોમાં જોઈ શકો છો પોતાના જન્મ દિવસના જશ્ન દરમિયાન જોયા હતાં. તે વખતે પણ તેમની તબીયત ખરાબ હતી અને ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. આમ છતાં તેઓ મારા જન્મ દિવસના જશ્નમાં હાજર રહ્યાં અને મારા મારા જન્મ દિવસે હાજર રહેવાનો વાયદો પાળ્યો. ડિનર દરમિયાન તેઓનો તેવા ચાર લોકોમાં સમાવેશ થતો હતો કે જેમણે તે રાત્રે સ્પીચ આપી હતી. તેમના શબ્દો હજુ પણ મારા કાને ગુંજારવ કરે છે. તેમણે મારા કામની કાયમ તારીફ કરી, પરંતુ સૌથી વધુ તેમણે જે વાત વખાણી, તે એ હતી કે હું એક સારો પુત્ર અને એક સારો માણસ છું.
અમિતાભે આગળ લખ્યું - પબ્લિક સમારંભમાં તે તેમની છેલ્લી સ્પીચ અને હાજરી હતી. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર અગાઉની છેલ્લી તસવીર લોકો જોઈ શકે છે. તેમના ગયા બા હવે આપણી સાથે જે કાયમ રહેશે, તે છે તેમની રચનાત્મકતા, તેમના ભાવ, તેમના કાવ્ય, તેમની ફિલ્મો અને સૌથી મહત્વની તેમની માનવતા.
યશ ચોપરાનો અંતિમ સંસ્કાર ગઈકાલે બપોરે મુંબઈમાં કરવામાં આવ્યો. તેમાં ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન પણ ઉપસ્થિત હતાં.