Year Ender 2023: આ બૉલિવુડ સ્ટાર્સના અચાનક મૃત્યુથી ગમગીન થઈ ગયુ સિનેમા જગત
Year Ender 2023: વર્ષ 2023 પૂરું થવા જઈ રહ્યું છે. આ વર્ષે ઘણી બધી સારી યાદો હતી અને ઘણી બધી ખરાબ પણ. સિનેમાની દુનિયાની વાત કરીએ તો આ વર્ષે સિનેમાએ તેના ઘણા સ્ટાર્સ ગુમાવ્યા છે. આમાંના એક સ્ટાર, ફેન્સના ફેવરિટ મુથુ સ્વામી ઉર્ફે સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા.
સતીશ કૌશિકનુ 9 માર્ચ 2023ના રોજ અવસાન થયું હતું. સતીશ કૌશિકે ચાહકોને દુઃખી કર્યા હતા.સતીશ કૌશિકના નિધનથી બધાને ઘેરો આઘાત લાગ્યો હતો. ત્યારે અનુપમ ખેરે મિત્ર તરીકેની પોતાની ફરજ નિભાવી અને દીકરીની ખૂબ કાળજી લીધી. ખેર હજુ પણ સતીશ કૌશિકની પુત્રીનું કેટલું ધ્યાન રાખે છે તે તમામ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાય છે.

આકાંક્ષા દુબેના મૃત્યુથી ચોંકી ગયા લોકો
સતીશ કૌશિક ઉપરાંત ભોજપુરી સિનેમાની આકાંક્ષા દુબેના મૃત્યુથી ચાહકોને આઘાત લાગ્યો હતો. અભિનેત્રીના મૃત્યુમાં ભોજપુરી ગાયક સમર સિંહ અને સંજય સિંહને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. આ પછી પોલીસે સમર સિંહની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો. અત્યાર સુધી આ મામલાની તપાસ ચાલી રહી છે. વકીલે પણ આકાંક્ષા દુબેના કપડામાં શુક્રાણુ મળ્યાની પુષ્ટિ કરી હતી. આ બાબત પણ ખાસ્સી ચર્ચામાં આવી હતી.
આદિત્ય સિંહ રાજપૂતનું આકસ્મિક મૃત્યુ
32 વર્ષની ઉંમરે અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતના અવસાનથી બધાને આઘાત લાગ્યો હતો. અભિનેતા તેના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અંધેરીમાં તેના એપાર્ટમેન્ટના બાથરૂમમાં લપસીને અને પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. આદિત્યના કાન પર કટ અને માથામાં ઈજાઓ પણ મળી આવી હતી. આવી સ્થિતિમાં તેના પડવાની શક્યતાઓ વધુ વધી ગઈ હતી. આદિત્યનો એક રૂમમેટ પણ હતો, જે મોડી રાત્રે ઘરે આવતો હતો. પોલીસે જણાવ્યું હતું કે રાજપૂતની તબિયત ઘણા દિવસોથી સારી નહોતી.
પામેલા ચોપડાનું નિધન
યશ ચોપરાની પત્ની પામેલા ચોપડાનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તે ફિલ્મ લેખકની સાથે નિર્માતા પણ હતી. પામેલાને 15 દિવસ સુધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને પછી તેણે અંતિમ શ્વાસ લીધા. ડૉક્ટરોએ પામેલાને વેન્ટિલેટર પર મૂક્યા હતા. ઘણા દિવસોથી તેમની તબિયતમાં સુધારો થતો ન હતો. ત્યારબાદ પામેલાનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલ્યોરથી થયું હતું.












Click it and Unblock the Notifications
