આ કારણથી રીહાન ચૌધરીએ રાજેશ ઠક્કર સાથે કરી સતત બીજી ફિલ્મ
આ કારણથી રીહાન ચૌધરીએ રાજેશ ઠક્કર સાથે કરી સતત બીજી ફિલ્મ
મલ્હાર ઠક્કરના ફેન્સ માટે આ વર્ષ શાનદાર રહેવાનું છે. કારણ કે મલ્હારની એક બાદ એક નવી ફિલ્મોની જાહેરાત થઈ રહી છે. મલ્હારની અપકમિંગ ફિલ્મ 'ધૂઆંધાર’માં તે સાવ જુદા જ પાત્રમાં જોવા મળવાના છે. આ ફિલ્મને રેહાન ચૌધરી ડિરેક્ટ કરી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. રેહાન આ પહેલા 'તું છે ને’ અને 'અરમાન’ પણ ડિરેક્ટ કરી ચૂક્યા છે.

રેહાન ચૌધરીની ડિરેક્ટર તરીકે આ ત્રીજી ફિલ્મ
રસપ્રદ વાત એ છે કે રેહાન ચૌધરીની ડિરેક્ટર તરીકે આ ત્રીજી ફિલ્મ છે. અને બીજી ફિલ્મ પણ તેઓ એક્ટર પ્રોડ્યુસર રાજેશ ઠક્કર સાથે જ કરી રહ્યા છે. રેહાન ચૌધરીનું કહેવું છે કે,'તું છે ને પણ તેમણે જ પ્રોડ્યુસ કરી હતી. અને આ ફિલ્મ તો મેં એમની સાથે જ પ્લાન કરી હતી.' આ ઉપરાંત રેહાન ચૌધરીનું કહેવું છે કે અમારા બંને વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ સરસ છે. એકબીજાને રિસ્પેક્ટ કરીએ છીએ એટલે સાથે કામ કરવાની મજા આવે છે.

રાજેશ ઠક્કર અન્ય પ્રોડ્યૂસરથી એકદમ અલગ છે
રાજેશ ઠક્કર ધૂઆંધાર પ્રોડ્યુસ તો કરી જ રહ્યા છે, સાથે જ તેઓ ફિલ્મનો એક્ટર તરીકે પણ ભાગ છે. ત્યારે તેઓ સેટ પર પણ લગભગ સતત હાજર જ રહેતા હતા. આ મામલે ડિરેક્ટર રેહાન કહે છે, એ માત્ર પ્રોડ્યુસર નથી એક્ટર પણ છે. એટલે સેટ પર આવતા પણ મારા કામમાં ક્યારેય દખલ નથી કરી. સામાન્ય રીતે બોલીવુડમાં આપણને પ્રોડ્યુસર્સની સેટ પરની દખલગીરી વિશેના અહેવાલો વાંચવા મળતા હોય છે, પરંતુ રાજેશ ઠક્કર સાવ જુદા જ છે.

આવતા વર્ષે રિલીઝ થશે ફિલ્મ
ઉલ્લેખનીય છે કે મલ્હાર ઠાકર સ્ટારર ફિલ્મ ‘ધૂઆંધાર' આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મલ્હારની સાથે ત્રણ હિરોઈન્સ નેત્રી ત્રિવેદી, આલીષા પ્રજાપતિ અને બીજલ જોશી જોવા મળશે. તો ફિલ્મમાં હિતેન કુમાર પણ ખાસ રોલમાં દેખાવાના છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, સાણંદ, ગાંધીનગર અને રાજકોટમાં થયું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
