KBCની શરૂઆતમાં આ ગંભીર બિમારી સામે ઝઝૂમ્યા અમિતાભ, રોજની ખાતા 8-8 દવા
કેબીસીમાં હાલમાં અમદાવાદની એક કન્ટેસ્ટન્ટ હૉટ સીટ પર બેઠી. જેની કહાની સાંભળીને અમિતાભ બચ્ચને પણ પોતાનું એક દુઃખ શેર કર્યુ.
ટીવીનો સૌથી લોકપ્રિય શો 'કોન બનેગા કરોડપતિ' પોતાના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. હાલમાં જ શોમાં બાળ દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં પૂરા એક સપ્તાહ સુધી હૉટસીટ પર બેઠા નાના બાળકો બેઠા હતા. કેબીસીમાં હાલમાં અમદાવાદની એક કન્ટેસ્ટન્ટ હૉટ સીટ પર બેઠી. જેની કહાની સાંભળીને અમિતાભ બચ્ચને પણ પોતાનું એક દુઃખ શેર કર્યુ. બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કેબીસી શોમાં ખુલાસો કર્યો કે શોના શૂટિંગ દરમિયાન તેઓ એક ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

અમિતાભ બચ્ચનને થઈ ચૂક્યો છે સ્પાઈનલ ટીબી
કેબીસીના લેટેસ્ટ એપિસોડમાં અમદાવાદની કાજલ પટેલ આવી. તેમની સામે એક સવાલ આવ્યો. જેના જવાબમાં અમિતાભ બચ્ચને પોતાની ગંભીર બિમારીનો ખુલાસો કર્યો. સવાલ હતો કે બીસીજીની રસી આમાંથી કઈ બિમારીથી બચવા માટે આપવામાં આવે છે? આ સવાલનો સાચો જવાબ ટ્યુબરક્યુલોસિસ (ટીબી) હતો. ત્યારબાદ અમિતાભે બચ્ચને ખુલાસો કર્યો કે તે પણ આ ગંભીર બિમારી સામે લડી ચૂક્યા છે.

કેબીસીની શરૂઆતમાં થઈ હતી બિમારી
અમિતાભ બચ્ચને કહ્યુ કે 2000માં કેબીસીની શરૂઆતના સમયથી જ તે આનાથી ઝઝૂમી રહ્યા હતા. તેમણે જણાવ્યુ કે તેમને પહેલા લાગ્યુ કે આ પીડા ખુરશી પર બેસવાના કારણે થઈ રહી છે પરંતુ તપાસમાં સામે આવ્યુ કે તેમને સ્પાઈનલ ટ્યુબરક્યુલોસિસ છે. ત્યારબાદ તેમણે તેનો ઈલાજ કરાવ્યો જેમાં તેમણે દિવસમાં 8-8 ગોળીઓ ખાવી પડતી હતી.

પતિના ઈલાજ માટે આવી હતી કાજલ
શાના લેટેસ્ટ એપિસોડમાં કાજલ પટેલ કેબીસીમાં એક ખાસ હેતુથી આવી અને તે હતુ પોતાના પતિનો ઈલાજ કરાવવો. કાજલના પતિને દોઢ વર્ષ પહેલા સ્ટ્રોક આવ્યો હતો જેના કારણે તેઓ ના બોલી શકે છે અને ના હાથથી કોઈ કામ કરી શકે છે. કાજલ કેબીસીમાંથી વધુમાં વધુ પૈસા લઈને જવા ઈચ્છતી હતી જેથી તે પોતાના પતિનો સારા ડૉક્ટર પાસે ઈલાજ કરાવી શકે. જો કે કાજલ માત્ર 6 લાખ 40 હજાર રૂપિયા જ જીતી શકી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
