અશ્લીલતા- લવ જેહાદને કારણે બંધ થશે Big Boss 13, સલમાન સામે કેસ!
અશ્લીલતા- લવ જેહાદને કારણે બંધ થશે Big Boss 13, સલમાન સામે કેસ!
બિગ બૉસ 13 પોતાનું એક અઠવાડિયું પૂર્ણ કરી ચૂક્યું છે. આ વખતેની સીઝનનો કોન્સેપ્ટના હિસાબે વાત કરીએ તો સીઝન થોડી બોલ્ડ માનવામાં આવી રહી છે. આ કારણે શોનો સમય રાતના 10.30 રાખવામાં આવ્યો છે. કંટેન્ટના હિસાબે આ શો દરરોજ દર્શકોને મસાલા આપી રહ્યો છે. આ દરમિયાન કેટલાક દિવસો પહેલા સોશિયલ મીડિયા પર શો પર પ્રતિબંધ લાધવાની માંગ કરવામાં આવી. પરંતુ હવે આ કંટેન્ટ અને બેડ શેર કરવાના કોંસેપ્ટને લઈ વિવાદ ઉઠી રહ્યો છે.
વિરોધ કર્યો
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને એક પત્ર મોકલી કલર્સ ટીવી ચેનલ પર ચાલી રહેલ ટીવી શો બિગ બૉસ 13ના પ્રસારણને તરત રોકવાની માંગ કરવામાં આવી છે.
અશ્લીલતા
CAIT મુજબ બિગ બૉસ 13માં બહુ અશ્લીલતા અને ગંદકીનું ખુલ્લેઆમ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આવા શોને ઘરેલૂ માહોલમાં જોવો મુશ્કેલ છે. એટલું જ નહિ આવા શોથી દેશની પારંપરિક સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોની ધજ્જિયાં ઉડાવવામાં આવી રહી છે.
ટીઆરપી અને ફાયદાની લાલચમાં
આગળ કહેવામાં આવ્યું કે ટીઆરપી અને ફાયદાની લાલચમાં આ શો દ્વારા દેશમાં સામાજિક સરળતાને ખતમ કરવામાં આવી રહી છે. જેને ભારત જેવા દેશની વિવિધ સંસ્કૃતિ વાળા દેશમાં ક્યારેય અનુમતિ ન આપી શકાય.
પીએમ મોદીના નામે
જણાવી દઈએ કે આ ફરિયાદ પત્રને કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભારતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીન ખંડેલવાલે પ્રકાશ જાવડેકરને મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી ન માત્ર ભારતમાં બલકે વિશ્વમાં દેશના સાંસ્કૃતિક મૂલ્યોની હિમાયત કરે છે. એવામાં બિગ બૉસ શો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે.
બેડ વાળા કોન્સેપ્ટથી નારાજગી
શો પર ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવતા કહેવામાં આવ્યું કે આ વખતે બેડ ફ્રેન્ડનો કોન્સેપ્ટ છે. જે સામાજિક ભાવનાની સાથે ફિલ્મ અને ટીવી માટે નિયમની વિરુદ્ધ છે. આ શોના નિર્માતા ભૂલી ગયા છે કે ટીવી પર પ્રાઈમ ટાઈમ સ્લૉટ છે અને જ્યારે આ ટેલિકાસ્ટ થાય છે તો દરેક ઉંમના લોકો શો જુએ છે.
અશ્લીલતા પીરસવાની અનુમતિ
એ પણ સવાલ ઉઠાવવામાં આવ્યો કે આ શોને મંજૂરી કેવી રીતે મળી ગઈ. ટીવી શો પર પણ સેન્સર બોર્ડની નજર હોવી જોઈએ. સેન્સર બોર્ડર આવા પ્રકારની અશ્લીલતાને પીરસવાની મંજૂરી કેવી રીતે આપી શકે છે?
સલમાન સામે કેસ
સાથે જ શોના હોસ્ટ સલમાન ખાન વિરુદ્ધ મેરઠમાં અશ્લીલતા ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ આ અરજી સ્વીકારી લીધી છે. હવે આ મામલે સુનાવણી થશે.