થંભી જશે દિલ કી નઝર સે ખૂબસૂરત...
મુંબઈ, 18 જુલાઈ : ટેલીવિઝન શો દિલ કી નઝર સે ખૂબસૂરત કે જે પ્રૉમિસિંગ કાસ્ટ સૌમ્ય સેઠ તેમજ રોહિત ખુરાના સાથે આ વર્ષે શરૂ થયો હતો, તે આ શુક્રવારે બંધ થવા જઈ રહ્યો છે. સીરિયલમાં લીડ રોલ કરનાર સૌમ્યે જણાવ્યું કે યાત્રાની લંબાઈ મહત્વની નથી.

સીરિયલના છેલ્લા એપિસોડનું શૂટિંગ કરતાં સૌમ્યે જણાવ્યું - મહત્વની બાબત એ છે કે આપ આ યાત્રા દરમિયાન પોતાની જાત સાથે શું વાત કરો છો અને મને વિશ્વાસ છે કે અમે આ શો દરમિયાન પોતાની સાથે ઘણી વાત કરી છે. અમે સુખદ વળાંકે શો બંધ કરવાનું વિચાર્યુ હતું અને તેથી અમે ખુશ છીએ.
દિલ કી નઝર સે ખૂબસૂરત સીરિયલ આરાધ્યા, રાહુલ તથા માધવની અલગ-અલગ વાર્તાઓ હતી. સોની ટીવી ઉપર આ શો ગત ફેબ્રુઆરીમાં શરૂ થયો હતો.












Click it and Unblock the Notifications
