તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ડૉ. હાથીનું નિધન
તારક મહેતાના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. આ શો ના સૌથી જાણીતા કલાકાર ડૉ હાથીની ભૂમિકા નિભાવતા અભિનેતા કવિ કુમાર આઝાદનુ નિધન થઈ ગયુ છે.
તારક મહેતાના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. આ શો ના સૌથી જાણીતા કલાકાર ડૉ હાથીની ભૂમિકા નિભાવતા અભિનેતા કવિ કુમાર આઝાદનુ નિધન થઈ ગયુ છે. એવા સમાચાર છે કે હાર્ટ એટેક આવવાના કારણે તેમનું મોત થયુ છે. તે શો સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા હતા. તે એક લોકપ્રિય કવિ પણ હતા.
થોડા દિવસો પહેલા અભિનેતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યુ હતુ કે કોઈએ કહ્યુ છે કે કલ હો ના હો, હું કહુ છુ પલ હો ના હો. દરેક પળ જીવો. મળતી માહિતી મુજબ તેમણે 2010 માં પોતાનું વજન ઓછુ કરવા માટે સર્જરી પણ કરાવી હતી. ત્યારબાદ તે ઘણા ખુશ હતા.
તેમનું આ રીતે અચાનક મોત થતા ફેન્સની સાથે તારક મહેતાની ટીમને પણ ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટએટેકથી તેમનું નિધન થઈ ગયુ છે. તેમણે આમિર ખાનની મેલા અને પરેશ રાવલ સાથે ફંટૂસ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.