એક થી નાયિકા : સુધાનું કમબૅક, સ્મૃતિનો ઇનકાર
મુંબઈ, 5 માર્ચ : ટેલીવિઝનના મહારાણી એકતા કપૂર ટુંકમાં જ એક નવી સીરિયલ એક થી નાયિકા સાથે લોકો વચ્ચે આવશે. આ સીરિયલની શાનદાર લૉન્ચિંગ થઈ. આ સીરિયલમાં જાણીતાં નૃત્યાંગના તથા અભિનેત્રી સુધા ચંદ્રન કમબૅક કરી રહ્યાં છે, તો બીજી બાજુ સ્મૃતિ ઈરાનીએ આ સીરિયલમાં વેશ્યાનો રોલ કરવાનો ઇનકાર કરી દીધો છે.
એક થી ડાયન ફિલ્મની જેમ શરૂ કરાતી એક થી નાયિકા સીરિયલ આગામી 9મી માર્ચથી લાઇફ ઓકે પર શરૂ થવાની છે. આ સીરિયલમાં સ્મૃતિ ઈરાની, સાક્ષી તંવર, પ્રેરણા તિવારી, સુધા ચંદ્રન જેવી જાણીતી ટીવી હસ્તીઓ ચમકવાનાં છે, પરંતુ તાજેતરમાં જ સ્મૃતિ ઈરાની આ સીરિયલમાંથી ખસી ગયાં છે.
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ આ સીરિયલમાં પોતે વેશ્યાનો રોલ કરવા તૈયાર થયાં નહીં અને એકતા કપૂર પણ એ બાબત સમજી ગયાં કે સ્મૃતિ માટે હવે આ પ્રકારના રોલ કમ્ફર્ટ નહીં રહે. તેથી તેમણે આ રોલ હવે સાક્ષી તંવરને આપી દીધો છે. તેથી સ્મૃતિ ઈરાનીને આ સીરિયલમાં બીજા કોઇક રોલમાં દર્શાવાશે.
બીજી બાજુ રમોલા સિકંદ એટલે કે સુધા ચંદ્રન પણ એકતા કપૂર સાથે હમ પાંચ, કહીં કિસી રોજ, કસ્તૂરી અને ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી જેવી સીરિયલમાં અગાઉ કામ કરી ચુક્યાં છે. તેઓએ આ સીરિયલમાં કામ કરવાની એકતા કપૂરની ઑફરનો તરત સ્વીકાર કરી લીધો.