For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વયંવર રચાવનાર રતન વેશ્યા બનવા માંગે છે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 નવેમ્બર : અગલે જનમ મોહે બિટિયા હી કીજો સાથે લોકોના હૃદયમાં સ્થાન પામનાર લાલી એટલે કે રતન રાજપૂત હાલ ફરી ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમની નવી ચાહત.

Ratan Rajput

એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ અભિનેત્રી રતન રાજપૂતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમની હાર્દિક ઇચ્છા છે કે તેઓ વેશ્યાનું પાત્ર ભજવે કે જેથી આ પાત્રનું દર્દ લોકોની સામે આવી શકે. જોકે રતને જણાવ્યું કે તેમને હાલ કોઈ એવો રોલ ઑફર થયો નથી, પરંતુ છતાંય જો તેમને આવી ઑફર મળશે, તો તેઓ જરૂર વેશ્યાનો રોલ કરશે.

રતને જણાવ્યું કે જો તેમને તક મળે, તો તેઓ એવો ટેલીવિઝન શો બનાવશે કે જે સીમિત દાયરામાં હોય. પોલીસિયા બૅકગ્રાઉન્ડ સાથે સંકળાયેલ રતન ગયા વર્ષો પોતાના સ્વયંવરના કારણે ચર્ચામાં રહ્યા હતાં. તેમણે અભિનવ શર્માની પસંદગી કરી, પરંતુ લગ્ન ન કર્યાં. જોકે રતને આ અંગે કઈં પણ કહેવાનો ઇનકાર કર્યો.

રતને સ્પષ્ટ જણાવ્યું કે તેઓ અત્યારે કોઈ પણ ટેલીવિઝન શોમાં કામ નથી કરી રહ્યાં, પરંતુ તેઓ ટુંકમાં જ ટેલીવિઝનની દુનિયામાં પરત ફરશે. રતનનું કહેવું છે કે જીવનસાથી અને કૅરિયર તમામ ભગવાનની મરજીથી થાય છે. તેથી તેઓ પોતાના જીવનસાથી અંગે વધુ પડતું વિચારતાં નથી.

English summary
I Want to do Role of Prostitue Said Lali fame Actress Ratan Rajput
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X