સ્વયંવર રચાવનાર રતન વેશ્યા બનવા માંગે છે
મુંબઈ, 5 નવેમ્બર : અગલે જનમ મોહે બિટિયા હી કીજો સાથે લોકોના હૃદયમાં સ્થાન પામનાર લાલી એટલે કે રતન રાજપૂત હાલ ફરી ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમની નવી ચાહત.
એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ અભિનેત્રી રતન રાજપૂતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમની હાર્દિક ઇચ્છા છે કે તેઓ વેશ્યાનું પાત્ર ભજવે કે જેથી આ પાત્રનું દર્દ લોકોની સામે આવી શકે. જોકે રતને જણાવ્યું કે તેમને હાલ કોઈ એવો રોલ ઑફર થયો નથી, પરંતુ છતાંય જો તેમને આવી ઑફર મળશે, તો તેઓ જરૂર વેશ્યાનો રોલ કરશે.
રતને જણાવ્યું કે જો તેમને તક મળે, તો તેઓ એવો ટેલીવિઝન શો બનાવશે કે જે સીમિત દાયરામાં હોય. પોલીસિયા બૅકગ્રાઉન્ડ સાથે સંકળાયેલ રતન ગયા વર્ષો પોતાના સ્વયંવરના કારણે ચર્ચામાં રહ્યા હતાં. તેમણે અભિનવ શર્માની પસંદગી કરી, પરંતુ લગ્ન ન કર્યાં. જોકે રતને આ અંગે કઈં પણ કહેવાનો ઇનકાર કર્યો.
રતને સ્પષ્ટ જણાવ્યું કે તેઓ અત્યારે કોઈ પણ ટેલીવિઝન શોમાં કામ નથી કરી રહ્યાં, પરંતુ તેઓ ટુંકમાં જ ટેલીવિઝનની દુનિયામાં પરત ફરશે. રતનનું કહેવું છે કે જીવનસાથી અને કૅરિયર તમામ ભગવાનની મરજીથી થાય છે. તેથી તેઓ પોતાના જીવનસાથી અંગે વધુ પડતું વિચારતાં નથી.