ઉતરનમાં ઇચ્છાનું મોત પ્રક્રિયાના ભાગરૂપે : વૈશાલી
મુંબઈ, 12 એપ્રિલ : કટેલીવિઝન સીરિયલ ઉતરનની એક મુખ્ય પાત્ર ઇચ્છાનું શોમાં મોત થઈ ગયું છે. આ જ શોમાં ઇચ્છાની માતાનો રોલ કરનાર વૈશાલી ઠક્કરનું કહેવું છે કે ઉતરનમાં આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહે છે. તેમણે જણાવ્યું કે દર્શકોને ઇચ્છાની ખોટ ક્યારેય નહીં સાલે. તેની પુત્રી મીઠી તેનું સ્થાન લઈ લે લેશે.
કલર્સ પર પ્રસારિત થતી સીરિયલ ઉતરનના એક સેટ ઉપર વૈશાલીએ જણાવ્યું - ઇચ્છા ઉતરનનું એક સૌથી મજબૂત પાત્ર છે, પરંતુ જો અમે સીરિલયની વાત કરીએ, તો જેમ-જેમ વાર્તા આગળ ધપે, તેમ-તેમ પાત્રો પણ આગળ વધે છે. આ એક સતત વિકાસ પ્રક્રિયા છે. આ સીરિયલમાં ઇચ્છાની ભૂમિકા ભજવનાર ટીના દત્ત ડબલ રોલમાં છે. તે ઇચ્છાની પુત્રી મીઠીની ભૂમિકા પણ ભજવી રહી છે. 1લી ડિસેમ્બર, 2008થી શરૂ થયેલ ઉતરન સીરિયલે 1100 એપોસિડો પૂર્ણ કર્યાં છે.
વૈશાલી ઠક્કરે જણાવ્યું - દરેક સીરિલય વાર્તા આધારે ચાલે છે અને અમારા શોમાં વાર્તા સૌથી મજબૂત પક્ષ છે. 1100 એપિસોડથી દર્શકો સાથે જ છે, કારણ કે અમારી વાર્તા મજબૂત છે. આ સીરિલયમાં વીરની ભૂમિકા વિકાસ ભલ્લા ભજવી રહ્યાં છે અને રઘુવેન્દ્ર પ્રતાપ રાઠોડના રોલમાં ગૌરવ ચોપરા છે.