દો દિલ એક જાન સાથે કમબૅક કરશે જયશ્રી ટી
મુંબઈ, 6 જુલાઈ : વીતેલા જમાનાના અભિનેત્રી જયશ્રી ટી દો દિલ એક જાન સીરિયલમાં શાંતા દીદીના પાત્ર સાથે નાના પડદે કમબૅક કરી રહ્યાં છે. તેઓ સીરિયલમાં રઘુ તેમજ અંતરાને મેળવવાનું કામ કરશે. બંનેને સાથે લાવવાની આ ઝુંબેશમાં તેઓ પોતાના જલવા દ્વારા એવી પરિસ્થિતિ પેદા કરી દે છે કે જેથી આખરે રઘુ અને અંતરા એક-બીજાની નજીક આવી જાય છે.
જયશ્રી ટી છેલ્લે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં સીરિયલમાં દેખાયા હતાં. તેમણે એક નિવેદનમાં જણાવ્યું - ઇસ પ્યાર કો ક્યા નામ દૂં બાદ હું એક પડકારજનક તેમજ રસપ્રદ પાત્રના ઇંતેજારમાં હતી અને શાંતા દાદી એવું જ પાત્ર છે.
સલમાન ખાન તથા સોનાલી બેન્દ્રે અભિનીત હમ સાથ સાથ હૈં તેમજ શાહરુખ ખાન તેમજ રાણી મુખર્જી અભિનીત ચલતે ચલતે ફિલ્મોમાં અભિનય કરી ચુકેલાં જયશ્રી ટીએ જણાવ્યું - શાંતા દાદી ઉંચા સ્વરમાં વાત કરનાર એક જુદા પ્રકારની અને ખૂબ જ પ્રેમાણલ મહિલા છે. દર્શકો આ પાત્રને જ તરત જ પસંદ કરવા લાગશે. હું આ સીરિયલનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને શાંતા દાદી વડે કંઈક નવું શોધવા માંગુ છું. આ શોનું પ્રસારણ સોમવારથી શુક્રવાર રાત્રે નવ વાગ્યે લાઇફ ઓકે ટેલીવિઝન ચૅનલે થશે.