ન બોલે તુમ ન મૈંને કુછ કહા... માં મોહનનું મોત
મુંબઈ, 23 જુલાઈ : ટેલીવિઝન શો ન બોલે તુમ ન મૈંને કુછ કહા 2માં મોહન ભટનાગરની ભૂમિકા ભજવનાર અભિનેતા કુણાલ કરણ કપૂર શોમાંથી બહાર નિકળવાની તૈયારીમાં છે. તેમણે જણાવ્યું કે આગામી એપિસોડમાં મોહનનું મોત થઈ જશે.
મોતના દૃશ્યના શૂટિંગના સેટ ઉપર કુણાલે જણાવ્યું - ડોઢ વર્ષ બાદ આખરે મોહન ભટનાગર પોતાના અંતે આવી ગયો. અડ્ડૂ (મોહનનો પુત્ર) લગભગ મારો હાથ છોડવાની અણીએ છે, પણ છોડતો નથી. આમ છતાં મોહન મરી જાય છે. મોહનના મોત સાથે વાર્તા આગળ વધી જશે અને નવિતા (જયશ્રી વેંકટરમન) તથા અડ્ડૂ (કંવલ ઢિલ્લોં) પણ શોમાંથી બહાર જતાં રહશે.
મોહનના મોતને સમર્થન આપતાં જયશ્રીએ જણાવ્યું - ન બોલે તુમ ન મૈંને કુછ કહા સીરિયલ બંધ નથી થવાની. માત્ર તેની વાર્તા આગળ વધી રહી છે, પણ અમે તેમાં નહિં હોઇએ. સનશાઇન પ્રોડક્શનના બૅનર હેઠળની આ સીરિલય જાન્યુઆરી-2012માં શરૂ થઈ હતી અને તેનો પ્રથમ ભાગ મોહન તેમજ મેઘાના લગ્ન ઉપર સમાપ્ત થયો હતો, જ્યારે બીજો ભાગ જાન્યુઆરી-2013થી શરૂ થયો હતો.