કોરોના લૉકડાઉનઃ દૂરદર્શન પર ફરીથી પ્રસારિત થશે રામાયણ-મહાભારત
હવે ના તો કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને ના ટીવી શોનુ શૂટિંગ થઈ રહ્યુ છે. એવામાં દૂરદર્શને પણ મોટો નિર્ણય લીધો છે.
કોરોના વાયરસનો કહેર દુનિભારમાં વધતો જઈ રહ્યો છે, હિંદુસ્તાનમાં આની સામે લડવા માટે 21 દિવસનુ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. લૉકડાઉનના કારણે સામાન્ય લોકોને જરૂરી સામાનની મુશ્કેલી થઈ રહી છે. જો કે સરકાર તરફથી સતત મદદ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સરકારના આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના 649 કેસ આવી ચૂક્યા છે જેમાંથી 42 લોકો ઠીક થઈ ગયા છે અને સૌથી વધુ આ વાયરસથી મહારાષ્ટ્ર ગ્રસિત છે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા 125 પહોંચી ગઈ છે.

દૂરદર્શન ફરીથી પ્રસારિત કરશે રામાયણ-મહાભારત
લૉકડાઉનના કારણે લોકો ઘરમાં રહીને અલગ અલગ રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે, મનોરંજન ઈન્ડસ્ટ્રી પર કોરોના વાયરસની અસર થઈ રહી છે અને હવે ના તો કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને ના ટીવી શોનુ શૂટિંગ થઈ રહ્યુ છે. એવામાં દૂરદર્શને પણ મોટો નિર્ણય લીધો છે. તે એક સમયના ખૂબ જ લોકપ્રિય ટીવી શો રામાયણ અને મહાભારતનુ રિપીટ ટેલીકાસ્ટ કરશે.
|
પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે કર્યુ આ ટ્વીટ
પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે ટ્વિટર પર એક યુઝરના સવાલનો જવાબ આપતા આ સમાચાર જારી કર્યા છે અને જણાવ્યુ કે આ શો કયા સમયે પ્રસારિત રવામાં આવશે તેનો ટાઈમ સ્લૉટ જલ્દી બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ રામાયણની સ્ટાર કાસ્ટ ધ કપિલ શર્મા શો પર આવી હતી જેમાં રામ લક્ષ્મણ અને સીતા પૂરા 33 વર્ષ બાદ કોઈ મંચ પર સાથે દેખાયા હતા. આ દરમિયાન તેમણે આ ઐતિહાસિક શો વિશે ઘણી બધી ન સાંભળેલી વાતો જણાવી.

રામાયણ(જાન્યુઆરી 1987થી જુલાઈ 1988)
ઉલ્લેખનીય છે કે રામાયણનુ પ્રસારણ જાન્યુઆરી 1987થી જુલાઈ 1988 સુધી થયુ હતુ. એ વખતે આ સીરિયલ સુપરહિટ રહી હતી. સીરિયલનુ પ્રસારણ રવિવારની સવારે થતુ હતુ. જ્યારે આ સીરિયલ પ્રસારિત થતી હતી ત્યારે બધા સીરિયલ જોવામાં એટલા વ્યસ્ત થઈ જતા હતા કે રસ્તા પર સન્નાટો પ્રસરી જતો હતો.

બીઆર ચોપડાની મહાન કૃતિમાંની એક મહાભારત
વળી, મહાભારત શો, બીઆર ચોપડાની મહાન કૃતિમાંની એક છે, આ વિશ્વના સર્વાધિક જોવાયેલ સીરિયલોમાંની એક હતી. 94 એપિસોડની આ સીરિયલનુ પ્રથમ પ્રસારણ 1988થઈ 1990 સુધી દૂરદર્શનના રાષ્ટ્રીય ચેનલ પર થયુ હતુ, બ્રિટનમાં આ સીરિયલનુ પ્રથમ પ્રસારણ બીબીસી દ્વારા કરવામાં આવ્યુ હતુ જ્યાં તેના દર્શકોની સંખ્યા 50 લાખ સુધી પહોંચી ગઈ હતી જે બપોરના સમયે પ્રસારિત કરાતી કોઈ પણ સીરિયલ માટે બહુ મોટી વાત હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
