સુપરહોટ એક્ટ્રેસ, ક્યારેક કરવા માંગતી હતી આત્મહત્યા!
એક્ટ્રેસ શમા સિકંદરના લેટેસ્ટ બિકિની શૂટના ફોટોઝ જોઇને થઇ જશો આશ્ચર્યચકિત.
એક્ટ્રેસ શમા સિકંદર તો સૌને યાદ જ હશે. ટીવી સિરિયલ 'યે મેરી લાઇફ હે'થી લોકપ્રિયતા મેળવનાર આ એક્ટ્રેસ થોડા દિવસ પહેલા જ ફરી ચર્ચામાં આવી છે. શમાના ચર્ચામાં આવવા પાછળનું કારણે છે, તેનું લેટેસ્ટ હોટ બિકિની ફોટોશૂટ. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર શમાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. શમાની સુંદર તસવીરો અને અને તેની લાઇફ અંગેની ચટપટી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..

37 વર્ષીય એક્ટ્રેસ
જી હા, આ એક્ટ્રેસ 37 વર્ષની છે, પરંતુ તેનો ફોટો જોઇને આ વાત માની શકાય એમ નથી. શમા આજે પણ ખૂબ યંગ અને સુંદર લાગે છે. તે અનેક ટીવી સિરિયલ અને ફિલ્મોમાં જોવા મળી છે. આટલી લોકપ્રિય હોવા છતાં તેણે 5 વર્ષ પહેલાં પોતાની જિંદગીથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

શા માટે કર્યો આત્મહત્યાનો પ્રયાસ?
આ અંગે વાત કરતાં તેણે ટીઓઆઇને જણાવ્યું હતું, 'મને લોકો સાથે વાતો કરવું નહોતું ગમતું. મને મારી લાઇફ બોરિંગ લાગતી અને હું મારી જાતને પણ પસંદ નહોતી કરતી. મેં સરખી રીતે ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું. લાઇફમાં બધુ પરફેક્ટ હોવા છતાં મને આવું થઇ રહ્યું હતું. આની પાછળ જવાબદાર હતી એક બિમારી.'

એક્સ બોયફ્રેન્ડે ઓળખી કાઢી બિમારી
'મારો એક્સ-બોયફ્રેન્ડ એલેક્સ સાઇકોલોજીનો સ્ટુડન્ડ હતો. તેણે મારામાં બાયપોલર ડિસઓર્ડરના લક્ષણો જોયા અને ડૉક્ટરની સલાહ લેવા જણાવ્યું. પરંતુ ત્યારે મેં એની વાત ન માની, હું બસ મારી જિંદગી ખતમ કરી નાંખવા માંગતી હતી. આથી એક દિવસ મેં મારી માતાને ગુડ નાઇટ વિશ કર્યા બાદ આત્મતહત્યાનો પ્રયાસ કર્યો હતો. મેં ઘણી બધી સ્લીપિંગ પિલ્સ ખાઇ લીધી અને સુતા પહેલા મારી બેંક ડિટેઇલ્સ મારા ભાઇને મેસેજ કરી.'

આ રીતે બચ્યો જીવ
'મારો મેસેજ જોઇ મારો ભાઇ ગભરાઇ ઉઠ્યો, એણે તાત્કાલિક મારા મમ્મીને ફોન કર્યો અને લગભગ ત્રણ કલાકની અંદર મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એ લોકોએ મારો જીવ બચાવ્યો એ માટે હું મારા પરિવાર પર ગુસ્સે હતી. હું મરી જવા માંગતી હતી અને નવા રૂપ સાથે ફરી આ દુનિયામાં આવવા માંગતી હતી.'

દવાઓની સાથે ધ્યાનથી મળી મદદ
પોતાની રિવકવરીના દિવસોને યાદ કરતાં શમાએ કહ્યું કે, 'મારા પેરેન્ટ્સ આખા ફેઝ દરમિયાન સતત મારી સાથે રહ્યા હતા. પ્રોપર મેડિકેશન અને મેડિટેશને કારણે મેં જિંદગીને નવી દ્રષ્ટિએ જોવાનું શરૂ કર્યું. મને નાની નાની વાતોમાં આનંદ મળવા લાગ્યો. મને મારી આ વાત લોકોને જણાવવામાં કોઇ વાંધો નથી, આનાથી લોકોને મદદ મળી શકે છે. લોકોએ એ સમજવાની જરૂર છે કે, જીવનમાં દુઃખી કે બોર થવું ખૂબ નોર્મલ છે, આવી બિમારી કોઇને પણ થઇ શકે છે અને જ્યારે આવું કંઇ થાય ત્યારે તેનો ઇલાજ ખૂબ જરૂરી છે.'
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
