રાજપૂતોના ભયે બદલાશે જોધા અકબરના નામો અને પાત્રો
મુંબઈ, 16 ઑગસ્ટ : ઝી ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ જોધા અકબર ઉપર ગ્રહણ લાગ્યું છે. વાસ્તવમાં દેશના રાજપૂત સમુદાયના ભયે નિર્માતા એકતા કપૂરે શોના નામો અને પાત્રોના નામોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ બધુ ત્યારે થયું કે જ્યારે શ્રી રાજપૂત કરણી સેનાના વિરોધની આગ એકતાની ઑફિસ સુધી પહોંચી.

એકતા કપૂરે એક પ્રેસ કૉન્ફ્રંસ દરમિયાન સૌ પ્રથમ તે લોકોની માફી માંગી કે જેમની લાગણી આ સીરિયલના કારણે દુભાઈ છે. તેમણે જણાવ્યું - જો મારી સીરિયલના કારણે આપના દિલ કે ધાર્મિક લાગણીઓ દુભાયાં હોય, તો મને માફ કરી દો. આગળથી એવી ભૂલ ન થાય, તે માટે હું સીરિયલના નામો અને તેના પાત્રો બદલવા જઈ રહી છું.
એકતા કપૂરે આ અંગે શ્રી રાજપૂત કરણી સેનાના સંકલક લોકેન્દ્ર સિંહ કલવી સાથે વાતચીત કરી અને ખાત્રી આપી કે ટુંકમાં જ સીરિયલમાં ફેરફાર કરશે. જેટલાં એપિસોડ બની ચુક્યાં છે, તેમને ચાલવા દેવાની મંજૂરી માંગતા એકતાએ જણાવ્યું કે આ સીરિયલનું નિર્માણ એક બીજી કમ્પની કરી રહી છે. બાલાજી ફિલ્મ્સ સાથે તેનો સમ્બંધ નથી. હકીકતમાં એકતાએ ખુલ્લા મંચે માફી એટલા માટે પણ માંગી, કારણ કે તેમના બૅનરની મોટી ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે અને એકતા કપૂર નહોતા ઇચ્છતાં કે ટેલીવિઝન સીરિયલના કારણે તેમના ફિલ્મનો વિરોધ થાય.












Click it and Unblock the Notifications
