Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજપૂતોના ભયે બદલાશે જોધા અકબરના નામો અને પાત્રો

મુંબઈ, 16 ઑગસ્ટ : ઝી ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ જોધા અકબર ઉપર ગ્રહણ લાગ્યું છે. વાસ્તવમાં દેશના રાજપૂત સમુદાયના ભયે નિર્માતા એકતા કપૂરે શોના નામો અને પાત્રોના નામોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ બધુ ત્યારે થયું કે જ્યારે શ્રી રાજપૂત કરણી સેનાના વિરોધની આગ એકતાની ઑફિસ સુધી પહોંચી.

jodha-akbar

એકતા કપૂરે એક પ્રેસ કૉન્ફ્રંસ દરમિયાન સૌ પ્રથમ તે લોકોની માફી માંગી કે જેમની લાગણી આ સીરિયલના કારણે દુભાઈ છે. તેમણે જણાવ્યું - જો મારી સીરિયલના કારણે આપના દિલ કે ધાર્મિક લાગણીઓ દુભાયાં હોય, તો મને માફ કરી દો. આગળથી એવી ભૂલ ન થાય, તે માટે હું સીરિયલના નામો અને તેના પાત્રો બદલવા જઈ રહી છું.

એકતા કપૂરે આ અંગે શ્રી રાજપૂત કરણી સેનાના સંકલક લોકેન્દ્ર સિંહ કલવી સાથે વાતચીત કરી અને ખાત્રી આપી કે ટુંકમાં જ સીરિયલમાં ફેરફાર કરશે. જેટલાં એપિસોડ બની ચુક્યાં છે, તેમને ચાલવા દેવાની મંજૂરી માંગતા એકતાએ જણાવ્યું કે આ સીરિયલનું નિર્માણ એક બીજી કમ્પની કરી રહી છે. બાલાજી ફિલ્મ્સ સાથે તેનો સમ્બંધ નથી. હકીકતમાં એકતાએ ખુલ્લા મંચે માફી એટલા માટે પણ માંગી, કારણ કે તેમના બૅનરની મોટી ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ છે અને એકતા કપૂર નહોતા ઇચ્છતાં કે ટેલીવિઝન સીરિયલના કારણે તેમના ફિલ્મનો વિરોધ થાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X