Ahmedabad: સાબરમતી નદીમાં દશામાતાની મૂર્તિનું વિસર્જન કરતા ચાર ડૂબ્યા, 3 લોકોના મોત
Sabarmati River: રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર 30માં સાબરમતી નદીમાં ડૂબી જવાના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે.
સેક્ટર 30માં આવેલી સાબરમતી નદીમાં દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવા માટે અમદાવાદથી ટેમ્પોમાં લોકોનું ટોળું નદી કિનારે પહોંચ્યું હતું. જેમાં પરિવાર સાથે આવેલી 12 વર્ષની પૂનમ પ્રજાપતિ ઉંડા પાણીમાં ડૂબવા લાગી હતી.
તેને બચાવવા માટે એક પછી એક ચાર લોકો પાણીમાં કૂદી પડ્યા હતા. જોકે, અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ડૂબી ગયા હતા, જ્યારે અન્ય બેને સ્થાનિકોએ બચાવી લીધા હતા.

ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
આ બનાવના પગલે ગાંધીનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ગાંધીનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
