અમદાવાદ: મણિનગરમાં BRTS બસમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં
અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન સામે BRTS બસમાં આગ લાગી હતી. મળતી માહિતિ અનુસાર અમદાવાદમાં પણ બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. શહેરના મણિનગર રેલવે સ્ટેશન સામે જંક્શન પર ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ બસ મણિનગર રે
અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન સામે BRTS બસમાં આગ લાગી હતી. મળતી માહિતિ અનુસાર અમદાવાદમાં પણ બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી. શહેરના મણિનગર રેલવે સ્ટેશન સામે જંક્શન પર ઉભેલી બસમાં અચાનક આગ લાગી હતી. આ બસ મણિનગર રેલ્વે સ્ટેશન સામે બીઆરટીએસ સ્ટેન્ડ પર ઉભી હતી. અચાનક આગ લાગતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી.

આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે રાહતના સમાચાર છે કે ઘટના બની ત્યારે બસમાં કોઈ મુસાફર નહોતા. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઉલ્લેખનિય છેકે આ વર્ષમાં બીજીવાર છે જ્યારે બીઆરટીએસ બસમાં આગ લાગી હોય.
અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે BRTS બસમાં લાગી આગ
— Prince (@Prince_thakur1) December 7, 2022
બસ ખાલી હોવાથી જાનહાનિ ટળી#Ahmedabad #BRTS pic.twitter.com/dl0pEbYOki












Click it and Unblock the Notifications
