અમદાવાદ BRTSના રૂટમાં કરાયો ફેરફાર, જાણો નવા રૂટ
Ahmedabad BRTS Routes: અમદાવાદ શહેરમાં કાલુપુર જંકશનના પુનઃવિકાસની કામગીરી ચાલી રહી છે, જેના પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા રેલવે સ્ટેશન તરફ જતો મુખ્ય રસ્તો ત્રણ વર્ષ માટે બંધ કરવાની જાહેરાત કરી હતી.
રોડ બંધ થવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર પરિવહન એકમ BRTS દ્વારા BRTS બસ સેવા માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવે છે.
AMC ની પેટાકંપની અમદાવાદ જનમાર્ગ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટ અનુસાર, BRTS બસ સેવાઓમાં મુજબ ફેરફારો થશે.
આ ફેરફારો સપ્ટેમ્બર 11, 2024 થી અમલમાં આવશે. નાગરિકોને નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી છે.

કાલુપુર રેલવે સ્ટેશન થઈને પસાર થતી BRTS બસના સાત રૂટ બદલવામાં આવ્યા છે. જ્યારે બે રૂટને સદંતર બંધ કરવામાં આવ્યા છે. રૂટ નંબર 201 એન્ટી સરક્યુલર રૂટ અને સિવિલ હોસ્પિટલથી કાલુપુરનો રૂટ નંબર 18 સદંતર બંધ રહેશે. પૂર્વ વિસ્તારમાં રખિયાલ તરફથી આવતી BRTS સારંગપુર સર્કલ થઈ જમાલપુર ગીતામંદિર તરફથી જશે. જ્યારે નરોડા તરફથી આવતી BRTS હવે કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા થઈ અલગ રૂટ ઉપર ઇસ્કોન અને ભાડજ તરફ જશે
પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર, કુલ 7 BRTS રૂટ પ્રભાવિત થશે, જેમ કે રૂટ નંબર 2 (SP રીંગ રોડ - ભાડજ સર્કલ), રૂટ નંબર 8 (નરોડા ગામ - ઈસ્કોન ક્રોસરોડ્સ), રૂટ નંબર 7 (નારોલ થી ઝુંડાલ સર્કલ). ), રૂટ નંબર 14 (નરોડા ગામથી સાણંદ સર્કલ), રૂટ નંબર 101, રૂટ નંબર 201 (આરટીઓ એન્ટી સરકયુલર રૂટ), અને રૂટ નંબર 18 (સિવિલ હોસ્પિટલ - કાલુપુર)નો સમાવેશ થાય છે.
પોલીસ કમિશનરની કચેરીના જાહેરનામા મુજબ, સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીના 200 મીટરના રસ્તાની એક બાજુ 11 સપ્ટેમ્બર, 2024 થી 10 સપ્ટેમ્બર, 2027 સુધી ટ્રાફિક માટે બંધ રહેશે, જ્યારે સામેની લેનને વનવે રોડમાં ફેરવવામાં આવશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
