અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝા આઉટલેટ સીલ કરાયુ
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કલાસાગર શોપિંગ સેન્ટરમાં આવેલા ડોમિનોઝ પિઝાના એકમ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે.
આરોગ્ય વિભાગે ત્યાંના હાઈજિન અંગે ગંભીર બેદરકારી જોવા મળતાં આ આઉટલેટને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાહકો તરફથી મળેલી અનેક ફરિયાદો જેમ કે ટેબલ પર રાખેલી સોસ બોટલમાં ફૂગ હોવું અને સોસનો સ્વાદ બદલાઈ જવો જેવી ફરિયાદોને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે સ્થળ પર જઈ તપાસ કરતાં ત્યાં આરોગ્યના નિયમો અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ઘોર અનિમિતતાઓ સામે આવી હતી.
તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થો અસ્વચ્છ હાલતમાં રાખવામાં આવતા હોવાની અને ક્લીનલીનેસ અંગે ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું હોવાની પુષ્ટિ થઈ હતી. પરિણામે ડોમિનોઝની આ શાખાને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
