Ahmedabad metro news : IPL ને લઈને મેટ્રોના ટાઇમિંગમાં ફેરફાર, GMRC ની મોટી જાહેરાત
Ahmedabad metro news : આગામી IPL-2025 ની મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના ટાઈમિંગમાં ફેરફારની જાહેરાત કરાઈ છે. જે દિવસે મેચ હશે ત્યારે મેટ્રો સવારે 6:20 કલાકથી રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલુ રહેશે.
જણાવી દઈએ કે, હાલમાં અમદાવાદ મેટ્રોની સેવાઓ સવારે 06:20 કલાકથી રાત્રે 10:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. વિશેષ દિવસોમાં 10:00 વાગ્યા પછી 12:30 વાગ્યા સુધીની વધારાની સેવાઓ માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતિ મેટ્રો સ્ટેશનથી તમામ ઓપરેશનલ સ્ટેશનો સુધી ઉપલબ્ધ રહેશે.\

IPL મેચો માટે પ્રવાસીઓને સરળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે GMRC એ વિશેષ પેપર ટિકિટ લોન્ચ કરી છે.
વિશેષ પેપર ટિકિટની વિશેષતાઓ
- ટિકિટની કિંમત 50 પ્રતિ વ્યક્તિ રહેશે.
- આ ટિકિટનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતિ મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના તમામ ઓપરેશનલ સ્ટેશનો માટે થઈ શકશે.
- 22:00 કલાક બાદ માત્ર વિશેષ પેપર ટિકિટ દ્વારા પ્રવેશ મળશે.
- કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન, સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ રાત્રે 10:00 વાગ્યા સુધી જ માન્ય રહેશે.
- 22:00 કલાક બાદ પહેલાથી ખરીદેલી કોઈપણ QR/ટોકન ટિકિટ માન્ય ગણાશે નહીં.
વિશેષ પેપર ટિકિટ આ સ્ટેશનો પર ઉપલબ્ધ
નિરાંત ક્રોસ રોડ, અપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સબર્મતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પર આ ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ સિવાય મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવા નિયમિત સમયપત્રક મુજબ જ ચાલશે.
મેચના દિવસે અમદાવાદ મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. 22:00 વાગ્યા પછી 12:30 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમ અને સબર્મતી મેટ્રો સ્ટેશનથી દર 6 મિનિટે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી અંતિમ ટ્રેન રાત્રે 12:30 વાગ્યે ઉપડશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
