Ahmedabad Metro News : અમદાવાદ મેટ્રોમાં IPL મેચોના દિવસે યાત્રીઓની સંખ્યામાં મોટો વધારો
Ahmedabad Metro News : અમદાવાદ મેટ્રોમાં દરરોજ સરેરાશ 1.18 લાખ મુસાફરો પ્રવાસ કરે છે. જો કે મોટેરા સ્ટેડિયમમાં મેચ દરમિયાન આ સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે.
17 થી 23 માર્ચ દરમિયાન મેટ્રોની સરેરાશ દૈનિક યાત્રિક સંખ્યા 1,18,182 રહી. જો કે, જ્યારે IPLની મેચો માર્ચ 25, માર્ચ 29 અને એપ્રિલ 9ના રોજ યોજાઈ ત્યારે મેટ્રોમાં સામાન્ય કરતાં 38,000થી લઈને 62,000 જેટલા મુસાફરો વધુ નોંધાયા.

મેટ્રો અધિકારીઓ અનુસાર, અત્યાર સુધીનો સૌથી વધુ સંખ્યા ધરાવતો દિવસ માર્ચ 29 રહ્યો છે, જેમાં 1,80,196 યાત્રિકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો.
આવકની દ્રષ્ટિએ જોઈએ સામાન્ય દિવસે મેટ્રો આશરે 13.65 લાખની આવક કરે છે, પરંતુ IPLની મેચના દિવસે આવકમાં પણ ઉછાળો જોવા મળ્યો. માર્ચ 25ના રોજ 21.19 લાખ, માર્ચ 29ના રોજ 26.57 લાખ અને એપ્રિલ 9ના રોજ 23.56 લાખની કમાણી કરી છે.
આ માહિતી અનુસાર સ્પષ્ટ છે કે IPL જેવી મોટા ઈવેન્ટ્સ દરમિયાન મેટ્રોમાં સંખ્યા વધી જાય છે.












Click it and Unblock the Notifications
