Ahmedabad : સાબરમતિ રિવરફ્રન્ટ બોટિંગ સેવાને સસ્પેન્ડ કરવામાં આવી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરની સાબરમતી નદીમાં બોટિંગ સેવા મુલાકાતીઓ બંધ કરાઈ છે. પેન્ડિંગ સેફ્ટી ઓડિટ અને શરતોના ભંગ સહિતના વિવિધ મુદ્દાઓને કારણે આઓ નિર્ણય લેવાયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL), જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હેઠળ કામ કરે છે તેને વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ દુર્ઘટનાની ઘટના બાદ બોટિંગ સેવા બંધ કરી દીધી હતી.

ત્યારથી વલ્લભ સદન પાસે રિવરફ્રન્ટ ખાતે બોટિંગ સેવા બંધ છે. અન્ય ડેવલોપમેન્ટમાં SRFDCL એ શરતોના ભંગ બદલ યાહૂ એન્ટરપ્રાઇઝને નોટિસ પાઠવી છે.
કંપનીએ કથિત રીતે કરારના ભંગમાં ટિકિટની આવકનો એક હિસ્સો SRFDCL સાથે શેર કર્યો ન હતો. SRFDCL એ બોટ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે અને પૈસાની ચુકવણી માટે નોટિસ આપી છે.
જણાવી દઈએ કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલ્ટી જતા મોટી સંખ્યામાં બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ સરકાર હરકતમાં આવી છે.












Click it and Unblock the Notifications
