Ahmedabad : પિરાણાને વિશાલા સાથે જોડતા શાસ્ત્રી બ્રિજની એક લેન 10 દિવસ માટે બંધ કરાઈ
Ahmedabad : અમદાવાદનો પિરાણા જંકશનને વિશાલા જંકશન સાથે જોડતો અગત્યનો ગણાતો શાસ્ત્રી બ્રિજ ઝર્ઝર હાલતમાં હોવાથી એક લેનને તપાસ માટે બંધ કરવામાં આવી છે.
આ લેન પિરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતી બાજુનો છે. આ લેન ૧ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર સુધી રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

નેશનલ હાઈવે ડિવિઝનના કાર્યપાલક ઈજનેર દ્વારા પુલની સ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જરૂરી ભારે મશીનરી ગોઠવવા માટે આ બંધ રાખવું અનિવાર્ય છે.
આ કામચલાઉ બંધ પહેલાં પુલના કેટલાક બેરિંગ અને પેડેસ્ટલની કથળી રહેલી સ્થિતિને કારણે ૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ એક પ્રતિબંધ જારી કરવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધ હેઠળ આ લેન પરથી તમામ ભારે અને મધ્યમ કદના માલવાહક અને પેસેન્જર વાહનોને પસાર થવા પર રોક લગાવવામાં આવી હતી, જે ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
૧૦ દિવસના આ નિરીક્ષણ સમયગાળા દરમિયાન પિરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતો તમામ વાહનવ્યવહાર તેની બાજુના સમાંતર પુલ પર વાળવામાં આવશે.
આ પુલ સામાન્ય રીતે વિશાલા જંકશનથી પિરાણા જંકશન તરફના વાહનો માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રાફિકની અગવડતા ટાળવા માટે વાહનચાલકોને આ મુજબ આયોજન કરવાની સલાહ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
