Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ahmedabad : પિરાણાને વિશાલા સાથે જોડતા શાસ્ત્રી બ્રિજની એક લેન 10 દિવસ માટે બંધ કરાઈ

Ahmedabad : અમદાવાદનો પિરાણા જંકશનને વિશાલા જંકશન સાથે જોડતો અગત્યનો ગણાતો શાસ્ત્રી બ્રિજ ઝર્ઝર હાલતમાં હોવાથી એક લેનને તપાસ માટે બંધ કરવામાં આવી છે.

આ લેન પિરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતી બાજુનો છે. આ લેન ૧ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર સુધી રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

Ahmedabad

નેશનલ હાઈવે ડિવિઝનના કાર્યપાલક ઈજનેર દ્વારા પુલની સ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જરૂરી ભારે મશીનરી ગોઠવવા માટે આ બંધ રાખવું અનિવાર્ય છે.

આ કામચલાઉ બંધ પહેલાં પુલના કેટલાક બેરિંગ અને પેડેસ્ટલની કથળી રહેલી સ્થિતિને કારણે ૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ એક પ્રતિબંધ જારી કરવામાં આવ્યો હતો.

આ પ્રતિબંધ હેઠળ આ લેન પરથી તમામ ભારે અને મધ્યમ કદના માલવાહક અને પેસેન્જર વાહનોને પસાર થવા પર રોક લગાવવામાં આવી હતી, જે ૮ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

૧૦ દિવસના આ નિરીક્ષણ સમયગાળા દરમિયાન પિરાણા જંકશનથી વિશાલા જંકશન તરફ જતો તમામ વાહનવ્યવહાર તેની બાજુના સમાંતર પુલ પર વાળવામાં આવશે.

આ પુલ સામાન્ય રીતે વિશાલા જંકશનથી પિરાણા જંકશન તરફના વાહનો માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રાફિકની અગવડતા ટાળવા માટે વાહનચાલકોને આ મુજબ આયોજન કરવાની સલાહ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X