CMએ કર્યું ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરી વિકાસ મંડળ (ઔડા) દ્વારા રણાસણ જંક્શન પર રૂપિયા 60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રણાસણ પાસે આ ઓવરબ્રિજ બનતાં સુરત અને સૌરાષ્ટ્ર તરફથી સરદાર પટેલ રિંગ રોડ પર અમદાવાદ-મહેસાણા- હિંમતનગર તરફ આવતા-જતા ટ્રાફિકનું ભારણ ઘટવા પામશે.

આ ઓવરબ્રિજના બાંધકામથી સરદાર પટેલ રિંગ રોડ પર અવર જવર કરતાં નાનાં-મોટાં વાહનો તેમજ કોમર્શિયલ વાહનોને અવરજવરમાં સરળતા રહેશે તથા ઇંધણની સાથે સમયની પણ બચત થવા પામશે.
રણાસણ ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે સાંસદ હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્ય સર્વે બાબુભાઈ પટેલ, અમિતભાઈ શાહ, હર્ષદભાઈ પટેલ, અલ્પેશ ઠાકોર, અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર જતીન પટેલ, એએમસીના કમિશનર એમ થનારસન તથા ઔડાના સીઈઓ ડી. પી. દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુડ ગવર્નન્સ એટલે સામાન્ય માનવીને સુખ, સુવિધા, સગવડ અને સુખાકારી આપતું શાસન. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, શહેરીવિકાસ સહિત શહેરીજનો માટે મનોરંજન અને જનસુખાકારી વધે તેવા અનેકવિધ વિકાસ પ્રકલ્પો થકી વિકાસની પરિભાષા ખરાં અર્થમાં સાર્થક થઈ રહી છે. એટલે જ આજે આપણા શહેરો હેપ્પીનેસ ઇન્ડેક્સમાં આગળ આવી રહ્યા છે, અને દેશમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ શહેરો સતત વિકસી રહ્યા છે.
મુખ્યમંત્રીના હસ્તે AMC અને ઔડાના આશરે 216 કરોડના કુલ 27 વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં સમાવિષ્ટ ઔડાના 60.79 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ પર રણાસણ જંક્શન પરના ફ્લાય ઓવરબ્રિજ તથા રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
